By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આપઘાતને પણ રાજકીય હિંસા ગણાવે છે ભાજપ, શાહને મમતા બેનર્જીનો જવાબ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આપઘાતને પણ રાજકીય હિંસા ગણાવે છે ભાજપ, શાહને મમતા બેનર્જીનો જવાબ
GeneralNationalPolitics

આપઘાતને પણ રાજકીય હિંસા ગણાવે છે ભાજપ, શાહને મમતા બેનર્જીનો જવાબ

HM News
Last updated: 22/12/2020 11:56 AM
HM News
5 years ago
Share
SHARE

કોલકત્તા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી સરકાર પર હુમલો કર્યો છે.મમતા બેનર્જીએ કહ્યું કે,બંગાળના પ્રવાસ સમયે ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની ખોટી તસવીર રજૂ કરી હતી.ભાજપના રાજકીય હિંસાનો જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે,રાજ્યમાં રાજકીય હિંસામાં ઘટાડો થયો છે.બેનર્જીએ કહ્યું કે,આત્મહત્યાને પણ રાજકીય હત્યા ગણાવી દેવામાં આવે છે.મમતાએ કહ્યું કે,ભાજપ પતિ-પત્નીના ઝગડાને પણ રાજકીય ઝગડો ગણાવી દે છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે,પશ્ચિમ બંગાળ ઘણા માપદંડો પર કેન્દ્રના આંકડાથી સારૂ પ્રદર્શન કરી રહ્યું છે.તેમણે કહ્યું કે, બંગાળ 100 દિવસ કામ આપવામાં,ગ્રામીણ આવાસ,ગ્રામીણ રસ્તા,ઈ-ટેન્ડરિંગ અને ઈ ગવર્નેંસમાં નંબર વન છે.મમતાએ કહ્યું કે,બંગાળ રાજ્યનો જીડીપી તેમના કાર્યકાળમાં 2.6 ગણો વધી ગયો છે.બંગાળમાં એક કરોડ નોકરી ઉભી કરવામાં આવી છે.

આત્મહત્યાને પણ રાજકીય હત્યા ગણાવે છે : મમતા
મમતા બેનર્જીએ કાયદો-વ્યવસ્થાના મુદ્દા પર કેન્દ્ર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ બંગાળની કાયદો-વ્યવસ્થા પર મોટી-મોટી વાતો કરે છે,પરંતુ બંગાળના બે શહેરોને સૌથી સુરક્ષિત શહેરનો દરજ્જો મળ્યો છે.સીએમે કહ્યું કે,બંગાળના પ્રવાસ પર આવેલા અમિત શાહ આત્મહત્યાને પણ રાજકીય હિંસા ગણાવે છે.તેમણે કહ્યું કે,ભાજપ પતિ-પત્નીના ઝગડાને પણ રાજકીય રંગ આપે છે.

મુખ્યમંત્રીએ રાજ્યનો ડેટા રજૂ કરતા કહ્યું કે, રાજ્યમાં 383 માઓવાદીઓએ સરેન્ડર કર્યું છે. કેએલઓ સાથે જોડાયેલા 370 લોકોને પુનર્વાસ કરવામાં આવ્યા છે. નક્સલ પ્રભાવિત વિસ્તાર અને જંગલમહલમાં શાંતિ છે.રાજ્યમાં તહેવારો શાંતિપૂર્વક ઉજવવામાં આવે છે.મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યમાં સ્કૂલ ડ્રોપઆઉટ દર ઓછો થયો છે.બાળ મૃત્યુદર 34 ટકાથી ઘટીને 22 ટકા રહી ગયો છે.

દારૂની બે પેટીનો કેસ નહિ કરવા પોલીસ કોન્સ્ટેબલે માંગ્યા રૂ. 5 લાખ, ACB એ ટ્રેપમાં દબોચ્યો
અમદાવાદમાં IPLના સમાપન સમારંભમાં રણવીર સિંઘ અને રહમાન ધૂમ મચાવશે
સરકાર તેનું કામ કરે છે, પુતિનને યુદ્ધ રોકવા આદેશ ન આપી શકીએ : સુપ્રીમ
શિવસેનાના 20થી વધુ ધારાસભ્યો સુરત મગદલ્લાની હોટલમાં ભેગા થયાં
સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યા માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ ચીટિંગબાજ પાર્ટી છે, રાજકારણ માટે તે કાંઈપણ કરી શકે : મમતા વિફર્યા
Next Article IT ટિરર્ન ફાઇલ કરવાની માથાકુટ હવે દૂર થશે : ઇન્‍કમટેક્ષ વિભાગ દ્વારા ઝડપી પ્રોસેસિંગ સેવાનો પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up