– આજનો છોડ કાલનો વડલો બને છે,એવી રીતે યુવા શક્તિ એક આવતી કાલની પ્રેરણા પૂરી પાડે છે : પાટીલ
– કોળી સમાજને મારા પરિવારનો એક ભાગ માનું છું : CR પાટીલ
સુરત : ચોર્યાસી તાલુકા કાંઠા વિભાગ કોળી સમાજ આયોજીત સાંસ્કૃતિક ભવન AC હોલના ઉદ્દઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને ઉદ્દઘાટક તરીકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ ભરથાણા,ટ્રસ્ત્રી મહેશભાઈ પાંચીયા,ઉપ પ્રમુખ સી.ડી.પટેલ,ખજાનચી અર્જુનભાઈ પટેલ,સહમંત્રી શરદભાઈ પટેલ,સહ મંત્રી નવનીતભાઈ પટેલ, શ્રીમતી ઝંખનાબહેન પટેલ (ભૂતપૂર્વ ધારાસભ્ય) મહેન્દ્રભાઈ પટેલ,( પૂર્વ કેન્દ્ર મંત્રી) અને ઓલપાડ પ્રમુખ જેન્તીભાઈ પટેલ તેમજ કાંઠા વિસ્તારના કોર્પોરેટર શ્રીમતી પીયુષાબહેન પટેલ,ચિરાગસિંહ સોલંકી અને દીપેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
આજના કાર્યક્રમમાં પ્રમુખ હિતેશભાઈ ભરથાણાએ અતિથિ વિશેષ મહેમાન સી.આર પાટીલ સાહેબનું સાલ ઓઢાળી અને યાદગાર મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું,ત્યારબાદ રામજીવાડી માટે AC હોલ માટેની રૂપરેખા આપી અને હોલના નિર્માણ કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો અને જેમણે માતબર દાન આપ્યું છે,જે દાતાશ્રીઓનો અને સમાજના વડીલ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રામજીવાડી સાંસ્કૃતિક ભવન AC હોલના ઉદ્દઘાટક અને મુખ્ય મહેમાન સી.આર.પાટીલે કોળી સમાજના અગ્રણીઓ અને વડીલોને જણાવ્યું હતું કે કોળી સમાજ એ મારા પરિવારનો એક ભાગ માનું છું,અને મને અહીં આવતાં આનંદ થાય છે,કે પ્રમુખશ્રીએ ભવ્ય A C હોલનું નિર્માણ કરતાં આજુબાજુના ગામોને લાભ થશે.ભાજપના કોઈપણ કાર્યક્રમ અહીં હોલમાં યોજાય અને જે સમાજ પાર્ટી સાથે રહ્યો છે,એમનું ઘટતું કોઈપણ કાર્ય માટે તત્પર રહીશું.
કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ દવાવાલા એ એમના ગુજરાતી સાહિત્યના શબ્દો અને અંગ્રેજીનાં વાક્યોમાં સરળતાથી ઉદબોધન કરી એમનું સચોટ અને સુંદર વર્ણન કરતાં વાતાવરણમાં એક ગુંજ આવતી હતી.
કાર્યક્રમના અંતમાં ધારાસભ્ય અને મંત્રી મુકેશભાઈ પટેલે “રામજીવાડી” ના ભવિષ્ય માટે હાજર મહેમાનોને ઘટતું કરવા અને આજુબાજુ ગામોથી આવેલ સૌ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.અંતમાં સફળ કાર્યક્રમને સમાપનની ઘોષણા કરી,સૌ હાજર ભાઈ બહેનો રાષ્ટ્રીય ગીત પૂર્ણ કરી છુટા પડ્યા હતા.