By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આવકવેરાની વેબસાઇટ પર GST ટર્નઓવર દર્શાવવાની કવાયત શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આવકવેરાની વેબસાઇટ પર GST ટર્નઓવર દર્શાવવાની કવાયત શરૂ
GeneralNational

આવકવેરાની વેબસાઇટ પર GST ટર્નઓવર દર્શાવવાની કવાયત શરૂ

HM News
Last updated: 30/07/2020 7:51 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ,તા.૩૦: વેપારી દ્વારા જયારે ઇન્કમટેકસનું રિટર્ન ભરવામાં આવે ત્યારે હવેથી જીએસટી નંબર નાંખતાની સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન તેનું કેટલું ટર્નઓવર છે તે સહિતની જાણકારી હવે ઓનલાઇન મળી રહેશે.જેથી આઇટીની વેબસાઇટ પર જ જીએસટીનાટર્નઓવરની જાણકારી વેપારીઓને મળી રહેવાની છે.તેના લીધે વેપારીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ ઊભી થવાની છે.

જે વેપારીઓ પ્રામાણિકપણે વેપાર કરતા હશે તેઓ દ્વારા ટર્નઓવર પ્રમાણે જ જીએસટી અને આઇટીનું રિટર્ન ભરતા હોય છે,પરંતુ ટેકસ બચાવવા માટે અનેક વેપારીઓ જીએસટી અને આઇટીના રિટર્નમાં ટર્નઓવર અલગ અલગ બતાવતા હોય છે.કારણ કે સીબીડીટી અને સીબીઆઇસીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકોમાં આ હકીકતો બહાર આવી હતી.તેના કારણે હવેથી એકબીજાનો ડેટા જોઇ શકે,તેનો વપરાશ કરી શકે તે માટે બંને વચ્ચે કરાર પણ કરી દેવામાં આવ્યા છે. આ કરાર થયાના ગણતરીના દિવસોમાં જ હવે આઇટીની વેબસાઈટ પર જીએસટી નંબર નાંખતાની સાથે જ વેપારીના વાર્ષિક ટર્નઓવરની જાણકારી મળી રહેવાની છે.

હવેથી વેપારી દ્વારા આઇટીના રિટર્નમાં કે પછી જીએસટીના રિટર્નમાં આંકડાની ગોલમાલ કરવામાં આવે તો તાત્કાલિક તેની જાણકારી બંને વિભાગને થવાની છે.તેના કારણે બંને વિભાગમાં ભરપાઇ કરાયેલા રિટર્નમાં વિસંગતતાને લીધે બંને દ્વારા વેપારીને નોટિસ પણ મળવાની શકયતા રહેલી છે.આ નોટિસ નહીં મળે તેને ધ્યાને રાખીને જ વેપારી દ્વારા જયારે આઇટી રિટર્ન ભરવામાં આવે ત્યારે જીએસટી નંબરની સાથે તેના વાર્ષિક ટર્નઓવરની પણ જાણકારી ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જેથી રિટર્ન ભરતી વખતે તે આંકડાને ધ્યાને રાખીને રિટર્ન ભરપાઇ કરે તો નોટિસની કાર્યવાહીથી બચી શકાય તેમ છે.જેથી બંને વિભાગના ડેટા શેર કરવાને કારણે હવે પ્રામાણિક વેપારીને લાભ થવાનો છે.જયારે ટેકસ ચોરી કરનાર સામે કાર્યવાહી થવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી.

ચીખલીના બોડવાંક નજીકથી નવસારી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેને ઝડપાયા
બારડોલીથી કેદારનાથની યાત્રાએ ગયેલા 84 યાત્રીઓને ટ્રાવેલ્સ સંચાલકે અધવચ્ચે દગો દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
Covid-19 ના લક્ષણો દેખાતા BJPના રાષ્ટ્રીય પ્રવક્તા હોસ્પિટલમાં દાખલ
સુરતના મહુવા તાલુકામાં ચેકડેમો રિપેર ન થતાં પોલાણ પડ્યાં,પાણીનો સંગ્રહ ન થતાં ખેડૂતો ચિંતિત
PM મોદીના જન્મ દિવસ પર આજે ‘રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ ઉજવી રહ્યું છે યુથ કોંગ્રેસ
Share This Article
Facebook Email Print
Previous Article સંઘ પ્રદેશ દીવમાં કોરોનાનો કહેર, જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા ?
Next Article ગુજરાત સરકારની અનલોક ત્રણની ગાઇડલાન જાહેર. શું ખુલ્લુ અને શું બંધ રહેશે.?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up