– આવતીકાલે એટલે કે 14 ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી નગરને સત્તાવાર રીતે ખુલ્લુ મુકાશે
– 30 દિવસ સુધી ચાલનાર આ મહોત્સવમાં લાખોની જનમેદની ઉમટશે.
બીએપીએસ સંસ્થા દ્નારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે.મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઊમટશે.તેની તૈયારીઓ રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે.પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે પ્રમુખસ્વામી નગરની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે આવતીકાલે એટલે 14 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીના હસ્તે પ્રમુખસ્વામી નગરને સત્તાવાર રીતે ખુલ્લુ મુકશે.ત્યારબાદ 30 દિવસ સુધી પ્રેરણાત્મક કાર્યક્રમો યોજાશે.મહોત્સવ સ્થળની તમામ વ્યવસ્થાઓને જાળવવા માટે 80,000થી વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે તા. 12 ડિસેમ્બરથી મહોત્સવના અંત સુધી કાર્યરત રહેશે.
આ મહોત્સવના વિવિધ કાર્યક્રમોથી 30 દિવસ સુધી મહોત્સવના વિવિધ સભામંડપો ગુંજતા રહેશે,જેમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો,વિદ્વત્તાસભર સેમિનારો અને પરિષદો,પ્રોફેશનલ્સ સંમેલનો સહિત વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.આવતીકાલે એટલે કે તા. 14 ડિસેમ્બરે સાંજે 5.00 થી 7.30 દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થશે.આ મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે.જેમ કે તા. 15 ડિસેમ્બરે ગૃહમંત્રી અમીતભાઈ શાહથી લઈને દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30 દિવસીય કાર્યક્રમોના ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ’નો આરંભ થશે.
15 જાન્યુઆરીએ મહોત્સવનો શાનદાર પૂર્ણાહૂતિ સમારોહ યોજાશે. 30 દિવસ ચાલનાર આ મહોત્સવમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી,અમીતભાઈ શાહ,લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિદેશમંત્રી જયશંકર તેમજ વિદેશના મહાનુભાવો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.