[weather_data]
Breaking News
TRENDING NEWS

આવતીકાલે GST કાઉન્સિલની બેઠક

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી તા. ૧૧ : કોરોના કાળમાં જીએસટી કાઉન્સિલની ૪૦મી બેઠકમાં જીએસટી દરોમાં કોઈ પણ પ્રકારના બદલાવની આશા નથી. બીજી બાજુ વેચાણમાં ઉધાર વધવાથી કારોબારીઓને જીએસટી ભરવા માટે અતિરિકત સમય આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.૧૨ જૂને પ્રથમવાર વિડીયો કોન્ફન્સિંગ દ્વારા જીએસટી દરોમાં ફેરફારની કોઈ નાણાકીય સમસ્યા નથી.રાજસ્વ વધારવા માટે સરકાર બિન જરૂરિયાત વસ્તુઓ પર લગતા જીએસટી દરોને વધારે છે તો તે વસ્તુઓ મોંઘી થઇ જાય છે.તેનાથી તેની માંગ પ્રભાવિત થાય છે.કોરોનાના કારણે ૨૫ માર્ચ બાદ અંદાજે ૬૦ દિવસો સુધી બિનજરૂરીયાત વસ્તુઓનું વેચાણ સંપૂર્ણ રીતે ઠપ્પ થયું છે. લોકડાઉન ખુલ્યા બાદ બિનજરૂરિયાત વસ્તુઓની વેચાણ માટે કારોબારી સંઘર્ષ કરી રહ્યા છે. નાણામંત્રાલય સૂત્રોના જણાવ્યા મુજબ, કઈ વસ્તુ કયાં જરૂરી છે અને કયાં બિનજરૂરિયાત તે ગ્રાહકો નક્કી કરે છે.હાલમાં સરકારનો હેતુ વપરાશમાં વધારો કરવાનો છે.

બે દિવસ પહેલા ઔદ્યોગીક સંગઠન ફિક્કીના એક કાર્યક્રમમાં નાણામંત્રી સીતારમને જીએસટી દરોમાં ઘટાડો કરીને કહ્યું હતું કે આ નિર્ણય જીએસટી કાઉન્સિલ કરે છે. પરંતુ કાઉન્સિલને રાજસ્વ સંગ્રહની શોધ તેમજ ચિંતા છે.વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ,નાણાંમંત્રીના આ નિવેદનથી જીએસટી દરોમાં ઘટાડાની કોઈ સંભાવના નથી. વેચાણ નહીં થવાથી વેપારીઓને એપ્રિલ તેમજ મે મહિનામાં જીએસટી સંગ્રહનો આંકડો સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો નહોતો.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles