વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.સ્મૃતિવનના લોકાર્પણ ઉપરાંત અનેક વિકાસકામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.વડાપ્રધાનના બે દિવસના પ્રવાસ અંગે જીતુ વાઘાણીએ સંપૂર્ણ વિગતો આપી છે.
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.જીતુ વાઘાણીએ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા 27 અને 28 ઓગષ્ટ, 2022 દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે.તેમણે પ્રવાસની વિગતવાર માહિતી આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન 27 ઓગષ્ટ, 2022 શનિવારે અંદાજે સાંજે 5.10 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે ત્યાર બાદ સાંજે 7.30 કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ખાદી ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.કાર્યક્રમ બાદ રાજભવન,ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.
ભુજમાં વડાપ્રધાન જનસંબોધન કરશે પ્રવક્તાએ કહ્યું હતું કે, તા.28 ઓગષ્ટ 2022 રવિવારે સવારે 10 કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા સ્મૃતિ વન મેમોરિયલની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે.આ મુલાકાત બાદ સવારે 11:30 કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ,ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં સ્મૃતિવન સહિત અનેક વિકાસકામોનું કરશે.લોકાર્પણવિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:00 કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને ગાંધીનગર પરત ફરશે.ત્યાર બાદ વડાપ્રધાન મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે સાંજે 5:00 કલાકે યોજાનાર ભારતમાં સુઝુકીના 40 વર્ષ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે અને અંદાજે સાંજે 6:40 કલાકે દિલ્હી જવા રવાના થશે એમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.