બારડોલી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ,તબીબી શિક્ષણ,જળસંપત્તિ,પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે તા.20 મી મે ના રોજ સવારે 10 વાગ્યે માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં વી.ડી.સિલ્ક મિલની બાજુના મેદાન ખાતે જલ જીવન મિશન અંતર્ગત ગુજરાત પાણી પુરવઠા બોર્ડની સુરત જિલ્લાના માંગરોળ,માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો તેમજ તરસાડી નગરપાલિકાના નાગરિકો માટે રૂ.126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ વેળાએ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ,મત્સ્યોદ્યોગ,નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ,ધારાસભ્ય ગણપત વસાવા,ઈશ્વર પરમાર,ઝંખનાબેન પટેલ,વી.ડી.ઝાલાવાડીયા,માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત,ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ,માંડવી તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન શાહ,તરસાડી નગરપાલિકા પ્રમુખ મીનાબેન વસાવા ઉપસ્થિત રહશે.