નોઈડા : નાણાકીય સંકટનો સામનો કરી રહેલા જેપી ઈન્ફ્રાટેકને વધતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.બેન્ક ઓફ મહારાષ્ટ્રએ આ રીઅલ એસ્ટેટ અને હાઇવે ડેવલપમેન્ટ કંપની તેમજ તેના પ્રમોટરો મનોજ અને સચિન ગૌર અને કેટલાક ભૂતપૂર્વ ડિરેક્ટરને નોટિસ મોકલી છે.બેંકે તેઓને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની ધમકી આપી છે.જો આવું થાય તો કંપનીની મુશ્કેલીઓમાં વધારો થશે.આ સાથે તે ભવિષ્યમાં બેંકો અને મૂડી બજારોમાંથી મૂડી એકત્રિત કરી શકશે નહીં.
જો કે બંકના આ નિર્ણયથી કંપનીના બંધ પ્રોજેક્ટ્સમાં કામ અટકી જવું અને નવા માલિકોને સોંપવામાં કોઈ અસર નહીં થાય.બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેમંતકુમાર ટમ્ટાએ જણાવ્યું હતું કે, આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર એમ્પાવર્ડ કમિટીએ જેપી ઇન્ફ્રાના ખાતાને ડિફોલ્ટર તરીકે જણાવી છે.આ આધાર પર આ નોટિસ મોકલવામાં આવી છે.આ એક શો કોઝ નોટિસ છે.નોટિસના જવાબ બાદ સમિતિ આગળની કાર્યવાહી કરશે.
હવે કંપની શું કરશે ?
બેંકના એમડી અને સીઈઓ એએસ રાજીવે કહ્યું કે,કંપનીને નોટિસ વિરૂદ્ધ બેંકમાં ત્રણ સ્તરે અપીલ કરવાનો અધિકાર છે.અપીલનો વિકલ્પ સમાપ્ત થયા બાદ જ કંપનીને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવશે.પરંતુ એક બેંકમાંથી વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા પછી અન્ય બેંકો પણ આ કરી શકે છે.આનાથી બાકી રકમની વસૂલાત માટે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
જેપી ઇન્ફ્રા પર ઘણી નાની-મોટી બેન્કોનું દેવું છે.કંપની ઇનસોલ્વન્સી રિઝોલ્યુશનની નજીક છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.તે એક સમયે ટોચની રીઅલ એસ્ટેટ કંપની માનવામાં આવતી હતી અને આઈડીબીઆઈ બેંક,એસબીઆઇ અને આઈઆઈએફસીએલ જેવી મોટી બેંકોએ પણ કંપનીને ખુશીથી લોન આપી હતી.જૂન 2016માં તેને એનપીએ જાહેર કરાઈ હતી.નોટિસમાં બેંક ઓફ મહારાષ્ટ્રએ જણાવ્યું છે કે,જેપી ઇન્ફ્રાએ લોનની શરતોનું પાલન કર્યું નથી અને ચુકવણીમાં ડિફોલ્ટ થઈ છે.