By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આ ગોળીમાં એવુ તો શું છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતને ધમકાવી રહ્યાં છે, કોરોના થઈ જાય છે ગાયબ!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આ ગોળીમાં એવુ તો શું છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતને ધમકાવી રહ્યાં છે, કોરોના થઈ જાય છે ગાયબ!
GeneralInternational

આ ગોળીમાં એવુ તો શું છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતને ધમકાવી રહ્યાં છે, કોરોના થઈ જાય છે ગાયબ!

HM News
Last updated: 07/04/2020 9:00 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસે દુનિયા આખીમાં હાહાકાર મચાવ્યો છે. હજારોના મોત, લાખો બીમાર અને ડામાડોળ થતી સ્વાસ્થ્ય સેવાઓના કારણે દુનિયાનો દરેક દેશ મુશ્કેલીમાં છે. દુનિયાના સુપરપાવર ગણાતુ અમેરિકા પણ કોરોના સામે ઘુંટણીયે પડી ગયું છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પોતે એ હદે પરેશાન છે કે, ભારતમાં મેલેરિયાની સારવારમાં વપરાતી દવા હાઈડ્રૉક્સીક્લોરોક્વીન માટે ભારત સામે હાથ ફેલાવ્યા છે.

જેથી સવાલ એ ઉભો થાય છે કે, શું મેલેરિયાની આ દવા કોવિડ-19ની સારવારનાં એટલી હદે અસરકારક છે? વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોની વાત માનવામાં આવે તો તેમણે આ દવાને કોરોનાની સારવારમાં અકસીર હોવાના કોઈ નક્કર પુરવા આપ્યા નથી.

કોરોના માટે રામબાણ છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન?

ડોક્ટર સહિત વૈજ્ઞાનિકોએ પણ હજી સુધી આ બાબતની પુરતી જાણકારી ના હોવાની વાત કહી છે. પરંતુ એ બાબત ચોક્કસ છે કે, જ્યાં જયાં કોરોના વાયરસની અસર વધારે છે ત્યાં ત્યા આ દવાઓ લેવાની મંજૂરી આપવામાં આવી છે. ટ્રમ્પ અનેકવાર વાતચીતમાં પણ આ દવાની માંગણી કરી ચુક્યા છે. તેમણે આ દવા પુરી પાડવા ભારત સરકારને આગ્રહ કર્યો છે. જોકે તેમની સા મા6ગણીનો અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એનર્જી એંડ સાઈંટિફિક ડિસીઝના ડાયરેક્ટર ડો એંટની ફોસીએ વિરોધ કર્યો છે. ફોસીએ આ દવાની કોરોના પર અસર થતી હોવાને લઈને આશંકા વ્યક્ત કરી છે.

ભારતમાં પણ માત્ર હેલ્થ વર્કરો માટે જ આ દવા

ભારતમાં પણ આ દવા માત્ર એ લોકોને જ લેવાની મંજૂરી આપવામાં આવી છે જે કોરોના વાયરસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહેલા હેલ્થ વર્કર્સ અને કોવિડ-19ના દર્દીઓના સંપર્કમાં અવાનારા લોકોને. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, પુરતા પુરવાના હોવાના કારણે હેલ્થ વર્કર્સ અને કેટલાક અન્ય લોકોને આ દવા લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ દવા સમાન્ય લોકો માટે નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો ખુલાસો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોરોનાને લઈને જણાવ્યું હતુ કે, આ દવાની અસરને લઈને અમારી પાસે કોઈ પુરતા પુરાવા નથી. મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીથી આ બિમારીમાં રાહત થવાના પુરતા પુરાવા નથી. જે હેલ્થ વર્કર્સ કોવિદ-19ના દર્દીઓ વચ્ચે કામ કરે રહ્યાં છે તેમને જ આ દવા આપવામાં આવી રહી છે. કારણ કે તેમનું એક્સપોઝર વધારે છે. દરેક દવાની કોઈને કોઈ આડઅસર હોય છે.

તેની ટેક્નિકલ નિયમોનું પાલન કરી કોઈને પણ આ દવા ના લેઆની સલાહ આપવામાં આવી છે. જેમને પણ આ દવાને લઈને કોઈ સલાહ નથી આપવામાં આવી તેઓ આ દવા ના લે.

ભલે ગમે તેટલી ફોજ લઈ આવો, જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવી પડશેઃ મેહબૂબા મુફ્તી
સિંગાપોરમાં ભારતીય મૂળના એકને ફાંસી અપાઈ, બીજાને છેલ્લી ઘડીએ રાહત
ભારતીય મેન્સ ફૂટબોલ ટીમે ૨૯ વર્ષ બાદ હોંગકોંગ સામે વિજય મેળવ્યો
કર્ણાટક : રાજ્યપાલ વજુભાઈ વાળાએ ગૌહત્યા વિરોધી અધ્યાદેશ પર કર્યા હસ્તાક્ષર
યુપીના 6 જિલ્લામાં રોહિંગ્યાઓ સંતાઈને રહેતા હતા! ATSએ 74ની ધરપકડ કરી
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યનાં પાટણમાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ, જિલ્લામાં કુલ 5 કેસ નોંધાયા
Next Article ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન, પેરાસીટામોલની નિકાસ પર આંશિક પ્રતિબંધ ઉઠાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up