ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બુધવારે જ્યાં એક બાજું રામમંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન થઈ રહ્યું હતું. સમગ્ર દેશમાં એક ઉજવણીનો માહોલ હતો.ત્યારે 50 મુસ્લિમ પરિવારે મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુધર્મનો આંગીકાર કર્યો છે.કુલ 250 લોકોએ હિન્દુ ધર્મ અપનાવીને પૂજા-અર્ચના તથા હવનમાં ભાગ લેવા માટેનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના પાયલા કલ્લા પંચાયત સમિતિના મોતીસરા ગામમાં રહેતા 50 મુસ્લિમ પરિવારોએ હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.
ધર્મપરિવર્તન કરનારા પરિવારજનોને જણાવ્યું હતું કે,એમના પૂર્વજો હિન્દુ ધર્મના અનુયાયી હતા.તેઓ હિન્દુ હતા.ઈતિહાસનું જ્ઞાન થયા બાદ તેમણે પણ કોઈ પ્રકારના દબાણ વગર સ્વૈચ્છાએ હિન્દુધર્મ અપનાવ્યો છે.હિન્દુ ધર્મના સ્વીકાર કરનારા સુભનરામે જણાવ્યું હતું કે,મુગલશાસન કાળ દરમિયાન મુસ્લિમોએ અમારા પૂર્વજોને ડરાવી-ધમકાવીને મુસ્લિમ બનાવી દીધા હતા.મૂળ અમે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ.હવે મુસ્લિમો અમારાથી એક અંતર રાખી રહ્યા છે.ઈતિહાસની જાણકારી મળ્યા બાદ અમે આ મુદ્દા પર વિચાર કર્યા.અમે હિન્દુ છીએ અને હિન્દુ ધર્મમાં પરત ફરવું જોઈએ.અમારા રીત-રિવાજ હિન્દુ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. આ પછી સમગ્ર પરિવારે હિન્દુ ધર્મમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી.પછી ઘરે જઈ હવન-પૂજા કરાવી,જનોઈ પહેરીને 250 લોકોએ ફરી હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે.
ગામના હરજીરામના જણાવ્યા અનુસાર કંચન ઢાઢી જાતિનો આ સમગ્ર પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ રીત-રિવાજનું પાલન કરી રહ્યો હતો.દર વર્ષે હિન્દુ તહેવારોની એમના ઘરે ઉજવણી પણ થતી હતી.આ જ પરિવારના વિજારામે કહ્યું કે,તેમણે કોઈ જ ધાર્મિક કાર્ય મુસ્લિમ રીત-રિવાજ અનુસાર કર્યું નથી.રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમ વખતે પણ અમે સૌએ હવન પૂજાનો એક ખાસ કાર્યક્રમ રાખ્યો.હિન્દુ સંસ્કૃતિનું પાલન કરતા સ્વૈચ્છાએ હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે.અમારા પર કોઈનો એવો દબાવ રહ્યો નથી.રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનના પ્રસંગે સરપંચને બોલાવીને હવન કરાવ્યો હતો.સમગ્ર ગામમાં ઢાઢી જાતિના 50 પરિવારમાંથી 12 જેટલા મંદિર અહીં બન્યા છે.પરિવારમાં તમામ વ્યક્તિના નામ હિન્દુ ધર્મ અનુસાર છે.ઔરંગઝેબના સમયમાં એમના પૂર્વજો હિન્દુ હતા.દબાણને કારણે મુસ્લિમ ધર્મનો સ્વીકાર કર્યો હતો.પરિવાના અન્ય શિક્ષિત યુવકોને આ અંગે જાણકારી મળી.પછી હિન્દુ ધર્મની સ્વીકૃતિ કરી.રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ અંગે પણ આ તમામ વ્યક્તિએ ખુશી વ્યક્ત કરી અને ઉજવણી પણ કરી.ગામના સરપંચ પ્રભુરામ કલબીએ પણ જણાવ્યું કે,ઢાઢી જાતિના આ પરિવારોએ કોઈ પ્રકારમાં દબાવમાં આવીને ધર્મ પરિવર્તન કર્યું નથી.સમગ્ર ગામના સૌ લોકોએ પરિવારના આ નિર્ણયનું સન્માન કર્યું છે.
રાજસ્થાનના બારમેરમાં વસતા 50 મુસ્લિમ પરિવારોએ હિન્દૂ ધર્મ અપનાવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ પરિવારોના મોભીએ જણાવ્યું હતું કે અમારા પૂર્વજો હિન્દૂ હતા અમને મોગલ શાસનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવાયું હતું
તેમણે ઉમેર્યું હતું કે અમે સ્વૈચ્છિકપણે હિન્દૂ ધર્મમાં પરત ફરી રહ્યા છીએ.અમારા ઉપર કોઈએ કોઈ પ્રકારની બળજબરી કરી નથી.ઉલ્ટાના મુસ્લિમો અમે હિન્દૂ કોમમાંથી આવ્યા હોવાથી અમારી સાથે ભેદભાવ રાખતા હતા.અમારા તમામ રીતરિવાજો હિન્દૂ ધર્મ મુજબ જ છે.આજ રામમંદિર ભુમીપુજન પ્રસંગે અમને હિન્દૂ ધર્મ અંગીકાર કરવાનું ગૌરવ છે.તેમ જણાવ્યું હતું