By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આ નેતાઓની ચૂંટણી લડવાની વાત પર હવે પૂર્ણવિરામ મૂકાયુ !! ભાજપની કોર કમિટીમાં છ સભ્યો ઉમેરાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આ નેતાઓની ચૂંટણી લડવાની વાત પર હવે પૂર્ણવિરામ મૂકાયુ !! ભાજપની કોર કમિટીમાં છ સભ્યો ઉમેરાયા
AhmedabadGeneralPolitics

આ નેતાઓની ચૂંટણી લડવાની વાત પર હવે પૂર્ણવિરામ મૂકાયુ !! ભાજપની કોર કમિટીમાં છ સભ્યો ઉમેરાયા

HM News
Last updated: 22/08/2022 8:28 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,તા.22 ઓગષ્ટ 2022,સોમવાર : વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ એકશનમાં મોડમાં આવ્યુ છે.આ ઉપરાંત ભાજપના નેતા બી.એલ.સંતોષ પણ ગાંધીનગરની મુલાકાતે છે.ભાજપ કોર કમિટીની બેઠકમાંય ફેરફાર કરાયો છે.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોર કમિટીમાં સ્થાન અપાયુ છે.

આર.સી.ફળદુ,ભૂપેન્દ્રસિંહ સહિત છ સભ્યો ઉમેરાયા, હવે વિધાનસભામાં ટિકીટ નહી મળે

વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે નવુ માર્ગદર્શક મંડળ રચ્યુ છે.એક બાજુ બે સિનિયર મંત્રીઓના ખાતામાં ઓચિંતો ફેરફાર કરાયો છે ત્યારે બીજી તરફ, ભાજપ કોર કમિટીમાંય ફેરફાર કરાયો છે.અત્યાર સુધી આ કોર કમિટીમાં ૧૨ સભ્યો હતા પણ વધુ છ સભ્યોને સ્થાન અપાયુ છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ,પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ,પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરનો સમાવેશ થાય છે.

ભાજપે જ્ઞાતિવાદનુ સમીકરણ સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે.કડવા પાટીદાર નીતિન પટેલ,લેઉવા પાટીદાર આર.સી.ફળદુ,લેઉવા પાટીદાર ભરત બોઘરા,કોળી નેતા ભારતીબેન શિયાળ,ક્ષત્રિય આગેવાન તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી કરાઇ છે.

વિધાનસભાની ચૂંટણી વખતે ટિકીટની વહેચણી સમયે બળવો ન થાય અને ડેમેજકંટ્રોલની કવાયત કરી શકાય તે હેતુસર આ નેતાઓની પસંદ કરાઇ છે.જોકે, એવી ય ચર્ચા છે કે, કોર કમિટીમાં સ્થાન આપીને ભાજપે ૬૦થી વધુ વય ધરાવતાં આ બધાય નેતાઓને હવે ટિકીટ નહી અપાય.આ નેતાઓની ચૂંટણી લડવાની વાત પર હવે પૂર્ણવિરામ મૂકાયુ છે તે નક્કી છે.

પાક. મૌલાનાએ કહ્યું- કોરોના વાયરસને યહૂદીઓએ જ પેદા કર્યો છે
વિમાન ૧૦ ફૂટ નીચે આવી જતાં અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
આવા બેદરકાર લોકો જ કોરોના સામેની લડતને નબળી કરી રહ્યા છે
અમેરિકાની કોર્ટે ભારતના PM મોદી – ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલા દશ કરોડ ડોલરનો કેસ બંધ કર્યો
દોસ્તોને દેખાડી દેવા ખાતર આર્યન સાથે સેલ્ફી લીધી હતીઃ કિરણ ગોસાવીનો એનસીબી સમક્ષ ખુલાસો
Share This Article
Facebook Email Print
Previous Article હવે શું થશે, સૌ કોઇની નજર કમલમ પર..રાઘવજી,પ્રદીપ પરમારનું પત્તું કપાશે : વાઘાણીનું ખાતુ બદલાશે
Next Article વડતાલમાં CR પાટીલને અચનાક કોલ આવ્યો ત્યારે કાર્યક્રમમાં પુર્ણેશ મોદી પણ હાજર હતા..ને સાંજે…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up