જેરૂસલેમ : ભ્રષ્ટ્રાચારના આરોપોમાં ઘેરાયેલ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂના રાજીનામાની માંગ વધી છે.રાજધાની જેરૂસલેમમાં હજારો પ્રદર્શનકારીઓએ નારેબાજી કરતા બેન્જામીનના પુતળા સાથે રેલી કાઢી હતી.અન્ય શહેરોમાં પણ પ્રદર્શન થયા હતા.વડાપ્રધાન ઉપર અરબપતી સહયોગીઓ અને મીડીયાથી જોડાયેલ ત્રણ મામલાઓમાં ધોખાઘડી,વિશ્વાસઘાત અને લાંચ લેવાના આરોપ છે.નેતન્યાહુ બધા આરોપોથી ઇન્કાર કરતા આવ્યા છે.માર્ચમાં ઇઝરાયલમાં ચૂંટણી યોજાનાર છે.