By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇઝારેયલના ન્યાયતંત્રમાં મોટા પાયે ફેરફારની સરકારની યોજના સામે હજારો લોકો સડકો પર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇઝારેયલના ન્યાયતંત્રમાં મોટા પાયે ફેરફારની સરકારની યોજના સામે હજારો લોકો સડકો પર
GeneralInternational

ઇઝારેયલના ન્યાયતંત્રમાં મોટા પાયે ફેરફારની સરકારની યોજના સામે હજારો લોકો સડકો પર

HM News
Last updated: 12/07/2023 9:18 AM
HM News
2 years ago
Share
SHARE

– જેરૃસલેમ,તેલ અવીવ સહિતના શહેરોને જોડતા હાઇવે બ્લોક
– પોલીસે ૪૨ દેખાવકારોની ધરપકડ કરી : સુપ્રીમ કોર્ટની સત્તા મર્યાદિત કરવાના બિલને પ્રાથમિક મંજૂરી પછી દેખાવો શરૃ

ન્યાયતંત્રમાં મોટા પાયે ફેરફારની સરકારની યોજના વિરુદ્ધ ઇઝરાયેલના હજારો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને તેમણે જેરૃસલેમ,હાઇફા અને તેલ અવીવને જોડતા હાઇવે બ્લોક કરી દીધા હતાં.ઉલ્લેખનીય છે કે સરકારની આ યોજના અંગે દેશના નાગરિકોના મત વહેંચાયેલા છે.ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંસદીય ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટની સત્તા મર્યાદિત કરવાના એક વિવાદિત બિલને પ્રાથમિક મંજૂરી આપતા દેખાવો શરૃ થઇ ગયા હતાં.નેતન્યાહૂના અતિરાષ્ટ્રવાદી અને અતિરૃઢીવાદી સહયોગીઓ દ્વારા પ્રસ્તાવિત અનેક બિલોમાંથી આ એક બિલ છે.આ બિલનો સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ થઇ રહ્યો છે.બિલના વિરોધીઓએ આ બિલને દેશને સરમુખ્ત્યારશાહી તરફ લઇ જનારું ગણાવ્યું હતું.ન્યાયતંત્રમાં ફેરફારનોે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ સમગ્ર દિવસ રાષ્ટ્રવ્યાપી દેખાવોની અપીલ કરી હતી.દેખાવકારો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે પણ દેખાવો કરી રહ્યાં છે જેથી આંતરરાષ્ટ્રીય ફલાઇટોને અસર થવાની શક્યતા છે.

ઇઝરાયેલ સેનાના સાયબર યુનિટના ૩૦૦ કર્મચારીઓએ મંગળવારે એક પત્ર પર સહી કરી હતી જેમાં તેમણે પોતાની સેવાઓ આપવાનો ઇનકાર કર્યો છે.સેવા ન આપવાનું કારણ બતાવતા જણાવ્યું હતું કે ઇઝરાયેલની સરકાર બતાવવા માગે છે કે તે ઇઝરાયેલનો નાશ કરવા મક્કમ છે.પત્રમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંવેદનશીલ સાયબર ક્ષમતા જેનો દુરુપયોગ થવાનો ભય હોય તેને અપરાધી સરકારને આપવી ન જોઇએ જે લોકશાહીને સમાપ્ત કરવા માગે છે.પોલીસને જેરુસલમ તરફ જતા હાઇવેને બ્લોક કરનારા લોકોને ખસેડવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ મોદીઇન શહેર તરફ જતા હાઇવને બ્લોક કરનાર દેખાવકારોની ધરપકડ કરી હતી.ટીકાકારોનું માનવું છે કે આ બિલથી સરકારને મનસ્વી નિર્ણયો લેવા, અયોગ્ય નિમણૂક કરવા અને લોકોને નોકરીમાંથી કાઢવાની મંજૂરી મળી જશે તથા ભ્રષ્ટાચારના દરવાજા પણ ખૂલી જશે.આ દેખાવોમાં અત્યાર સુધીમાં ૪૨ લોેકોની ધરપકડ કરવામાં આવી છે.

6 માસ જૂના સ્ટે રદ કરવા તમામ અદાલતોને સુપ્રીમનો આદેશ
જયોતિષ શાસ્ત્રનો વરતારો :વિશ્વભરમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારાની શકયતાના એંધાણ : આ.શ્રી વિજય નંદઘોષ સૂરિજી મ.
પ્રધાનમંત્રીએ ઉજવી જન્મદિનની પાર્ટી, કોરોના નિયમોના ઉલંઘન બદલ પોલીસે ફટકાર્યો લાખોનો દંડ
વાવ SRP ના જવાને આર્થિક સ્થિતિના કારણે એલોપેથીની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
ભાજપના ”પાટીલ ગઢ”માં આપના ગાબડાં યથાવત : સુરતમાં વોર્ડ નંબર-8ના 300 લોકો મહેશ સવાણીના હસ્તે આપમાં જોડાયા
Share This Article
Facebook Email Print
Previous Article જુગારીઓ આનંદો ! હવે ઓનલાઈન ગેમિંગ,હોર્સ રેસિંગ,કેસિનો પર 28% GST વસુલાશે
Next Article ગુજરાતમાં જમીન રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર : અધિકારીઓના પાપે જમીન થઇ રહી છે ઓછી !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up