– દિલ્હીમાં આજે સવારે સામસામા ગોળીબાર બાદ ઝડપી લેવાયા : હથિયારો અને કેટલીક સામગ્રી જપ્ત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શકરપુર વિસ્તારમાં એનકાઉન્ટર દરમિયાન પાંચ આતંકીઓની ધરપકડ કરી છે.ધરપકડ કરાયેલા આતંકીઓમાં ત્રણ કાશ્મીર અને બે પંજાબના રહેવાસી છે.જાણવા મળી રહ્યું છે કે આ બધા ઇસ્લામિક અને ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા છે.લાંબા સમયથી તેને લઈને ઓપરેશન ચાલી રહ્યું હતું.
સ્પેશ્યલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાના મતે તેમાંથી બે પંજાબના રહેવાસી છે અને ત્રણ કાશ્મીરથી છે.તેમની પાસેથી હથિયાર અને આપત્તિજનક સામગ્રી જપ્ત કરાઇ છે.દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર,ક નાર્કો ટેરરીઝમ સાથે જોડાયેલા આ પાંચેય આતંક્વાદીઓનો ઉપયોગ પાકિસ્તાની જાસુસી એજન્સી આઈ.એસ.આઈ. કરી રહી હતી. આ આતંકીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર શકરપુરા વિસ્તારમાં દિલ્હી પોલીસ અને સ્પેશીયલ સેલ અને આતંકીઓ વચ્ચે ફાયરીંગ થયું હતું અને બાદમાં આ પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.સુત્રોના જણાવ્યા અનુસાર, આ એનકાઉન્ટરમાં 13 રાઉન્ડ ફાયરીંગ થયું હતું.આ પાંચેયની ધરપકડ બાદ સ્પેશીયલ સેલ આગળની કાર્યવાહી કરી રહી છે.હાલમાં આ પાંચેયની પૂછપરછ ચાલી રહી છે અને બાદમાં તેમના ઈરાદાઓ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવશે.