By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં નાસભાગથી 44 લોકોના મોત, 100થી વધુ ઘાયલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં નાસભાગથી 44 લોકોના મોત, 100થી વધુ ઘાયલ
GeneralInternational

ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં નાસભાગથી 44 લોકોના મોત, 100થી વધુ ઘાયલ

HM News
Last updated: 01/05/2021 8:36 AM
HM News
4 years ago
Share
SHARE

– ધાર્મિક મેળાવડામાં જગ્યા કરતા ત્રણ ગણી ભીડ એકત્ર થયા બાદ દુર્ઘટના સર્જાઈ

જેરુસાલેમ : ઉત્તર ઈઝરાયલમાં શુક્રવારે યુહૂદી તીર્થ સ્થળ પર મોટાપાયે લોકો એકત્રિત થયા હતા જ્યાં નાસભાગ થતાં 44 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.એક ધાર્મિક મેળાવડામાં આ દુર્ઘટના ઘટી હતી જેમાં 100 લોકોથી વધુ ઘાયલ થયા હતા.રબ્બી શિમોન બાર યોજાઈની કબર મેરોન પાસે આ દુર્ઘટના ઘટી હતી.મોટાપાયે દર વર્ષે યહૂદીઓ લાગ બાઓમર (વાર્ષિક ધાર્મિક રજાઓ) ગાળવા એકત્રિત થતા હોય છે.આ કબર યહૂદી સમાજના પવિત્ર સ્થળોમાં સ્થાન ધરાવે છે.

યહૂદી સમાજના લોકો દર વર્ષે બીજી સદીના મહાન સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર તેમને શ્રદ્ધાંજલિ આપવા એકત્ર થાય છે અને બાદમાં ત્યાં ડાન્સ પણ કરે છે.ઈઝરાયલમાં તમામ નાગરિકોના રસીકરણ બાદ કોરોનાના હળવા નિયમો થતા આ વર્ષે અહીં નોંધપાત્ર સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.સ્થળની ક્ષમતા કરતા ત્રણ ગણી વધુ ભીડ એકત્ર થઈ હતી.

પોલીસે આ ઘટનાની પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે, કેટલાક શ્રદ્ધાળુઓ દાદરા પર લપસી પડ્યા હતા અને ત્યારબાદ લોકોમાં નાસભાગ મચી હતી.આ દુર્ઘટનામાં 38 લોકોના સ્થળ પર મૃત્યુ થયા હતા જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ કેટલાકે દમ તોડ્યો હતો.હજુ પણ સંખ્યાબંધ ઘાયલો હોસ્પિટલમાં હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આને મોટી દુર્ઘટના ગણાવી હતી અને તેમણે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.

સુરત મકાનના રૂમમાં શ્રાવણીયો જુગાર રમતી ત્રણ આધેડ મહિલા સહિત 10 ઝડપાઈ
રાજ્યમાં 20 વર્ષ બાદ નવા મુખ્યમંત્રની શપથવિધિ કમૂહુર્તા પહેલા યોજાઇ, જાણો કેવો છે ઇતિહાસ
EDએ જપ્ત કરેલ 50 કરોડ મારા નથી : પાર્થ ચેટરજી
મોરબી દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપે પીડિતોના વચગાળાના વળતર પેટે રૂ. 14.62 કરોડ જમા કરાવ્યા
1,100 પોર્શ, બેન્ટલી સહિત અન્ય લક્ઝરી કાર વહન કરતુ ફેલિસિટી એસ જહાજ એટલાન્ટિકમાં સળગી રહ્યુ છે
Share This Article
Facebook Email Print
Previous Article મૃતદેહ પર રૂપિયા પડાવતી ટોળકી : સુરતમાં કોરોના મૃતકના મોઢાંમાં ગંગાજળ મૂકવાનો ભાવ 3000 હજાર, મૃતદેહ સ્મશાન પહોંચાડવાના 1000 રૂપિયા
Next Article બુટલેગરોના ધિંગાણામાં મહુવા PSI સસ્પેન્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up