નવી દિલ્હી તા.2 : આપણે ત્યાં કેટલાંક લોકો કોરોના વેકિસન સામે સવાલો, શંકાઓ કરે છે વેકિસન લગાવવાથી દુર ભાગે છે.ત્યારે વેકિસન કોરોના સામે કેટલી અસરકારક છે.તેનો દાખલો ઈઝરાયેલ અને બ્રિટન છે.ઈઝરાયેલમાં 60 ટકા વેકિસનથી કોરોનાનો અંત આવ્યો છે.જયારે બ્રિટનમાં 10 મહિના પછી બાદ કોરોનાથી મોતનો એક પણ દાખલો નથી.
ઈઝરાયેલમાં લગભગ 80 ટકા વયસ્કોને કોરોના રસી અપાઈ ગઈ છે.તેની સાથે તેણે હર્ડ ઈમ્યુનીટી હાંસલ કરી લીધી છે જયારે બ્રિટનમાં પણ ઝડપથી રસીકરણનાં ફાયદા જોવા મળ રહ્યા છે.બ્રિટનમાં લગભગ 10 મહિના બાદ પ્રથમવાર એવુ બન્યુ છે કે મંગળવાર સુધીમાં એક પણ વ્યકિતનો કોરોનાથી જીવ નથી ગયો.ઈઝરાયેલમાં હર્ડ ઈમ્યુનીટી આવ્યા બાદ દરરોજ કોરોના વાયરસનાં સરેરાશ માત્ર 15 કેસ જ બહાર આવે છે.એક વર્ષ બાદ કોરોના વાયરસ કેસની આ સૌથી ઓછી સંખ્યા છે.
ઈઝરાયેલે મંગળવારથી બાકી રહેલા કોરોના વાયરસ સંબંધી પ્રતિબંધોને હટાવી દીધા છે.હવે લોકોને રેસ્ટોરન્ટ,સિનેમા હોલ,રમત કાર્યક્રમોમાં જવા વેકિસન લગાવ્યાનો પુરાવો નહિં દેખાડવો પડે.ઈઝરાયેલમાં નવા નિયમો પહેલા જ સ્કુલો પુરી રીતે ખુલી ગઈ છે.અને બહાર નવા માસ્કની જરૂરત નથી.અલબત માહેર ઈમારતોમાં અંદર માસ્ક પહેરવુ જરૂરી છે.માનવામાં આવે છે કે આ પ્રતિબંધ પણ આગામી સપ્તાહ સુધીમાં હટાવી દેવાશે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હર્ડ ઈમ્યુનીટી સુધી પહોંચવા માટે 70 થી 85 ટકા લોકોને વેકિસન લગાવવી જરૂરી છે.જોકે ઈઝરાયેલે માત્ર 60 ટકા વસ્તીને વેકિસન લગાવીને આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.બ્રિટનમાં પણ કોરોના વાયરસ વેકિસન કામ કરી રહી છે.બ્રિટનમાં 10 મહિના સુધી મંગળવારે પ્રથમવાર એવુ બન્યુ કે કોરોનાથી કોઈનું મોત ન થયુ હોય.
અલબત ભારતમાં મળેલા સ્ટ્રેનના કારણે અહી પ્રતિબંધાત્મા ઢીલનો વિલંબ થઈ શકે છે.બ્રિટનમાં રવિવારે 6 લોકોના સોમવારે એક વ્યકિતનાં કોરોનાથી મોતના બનાવો નોંધાયા હતા.

