ઈઝરાયેલ દૂતાવાસ નજીક થયેલા બ્લાસ્ટની તપાસ NIAને સોંપવામાં આવી શકે

HM News
1 Min Read

નવી દિલ્હી : દિલ્હીના લુટિયન્સ જોન્સમાં ઔંગઝેબ રોડ સ્થિત ઈઝરાયેલી દૂતાવાસ બહાર શુક્રવારે સાંજે હળવો વિસ્ફોટ થયો હતો.હાલ દિલ્હી પોલીસ આ બ્લાસ્ટ અંગેની તપાસ કરી રહી છે.સૂત્રોના મતે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હવે આ બ્લાસ્ટની તપાસ સોંપવામાં આવી શકે છે. દિલ્હી પોલીસના મતે ઓછી તીવ્રતા ધરાવતા આઈઈડી બ્લાસ્ટથી કોઈને ઈજા પહોંચી નથી.જો કે વિસ્ફોટને કારણ નજીકમાં રહેલી ગાડીઓના કાંચ તૂટી ગયા હતા.

દિલ્હી પોલીસના સૂત્રોના મતે બ્લાટ પછી સુરક્ષાને પગલે દેશના એરપોર્ટ, મહત્વના સ્થાપત્યો,પરમાણો તેમજ અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થાઓ,દિલ્હી મેટ્રો તેમજ કેન્દ્રના ભવનો પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.સીઆઈએસએફને પણ સતર્ક કરવામાં આવ્યું છે.ઈઝરાયેલના દૂતાવાસ પાસે શુક્રવારે હળવો બ્લાસ્ટ થયો હતો. આ સમયે થોડા જ અંતરે આવેલા વિજય ચોક નજીક પ્રજાસત્તાક દિવસ સમાપન સમારંભ જેને બીટિંગ રીટ્રિટ તરીકે ઓળખવામાં આવે છે તે ચાલી રહ્યો હતો.આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ,ઉપરાષ્ટ્રપત વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ હાજર હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *