ઈન્ડિગોએ કનેક્ટિવિટી વધારી, 28 માર્ચથી સુરત-ચેન્નાઇ અને સુરત-જયપુર ફલાઇટ શરૂ કરશે

HM News
1 Min Read

સુરત મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર શિડ્યુલમાં બે ફ્લાઈટની જાહેરાત કરવામાં આવી હતી.28 માર્ચથી સુરત-ચેન્નાઈ અને સુરત-જયપુરની એરકનેક્ટિવટી ઇન્ડિગો દ્વારા શરૂ કરવામાં આવશે.કોરોના પહેલાં સુરત-ચેન્નાઈ વચ્ચે ફ્લાઈટ કનેક્ટિવિટી હતી,પરંતુ ત્યાર બાદ ફલાઇટ બંધ થઈ ગઈ હતી.ચેન્નાઈ અને સુરત વચ્ચે વિમાની સેવા શરૂ કરવા માટે શહેરના નાગરીકો દ્વારા માંગણી કરાતી હતી.જેને પગલે ઇન્ડિગો દ્વારા સમર શિડ્યુલમાં સુરત-ચેન્નાઈની ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ફ્લાઇટનું ભાડું અંદાજીત 4 હજારની આસપાસ રહેશે. ઇન્ડિગોના શિડ્યુલ અનુસાર તા.28 માર્ચથી ચેન્નાઈથી સાંજે 5.40 વાગે ફ્લાઈટ સુરત આવશે અને સુરતથી સાંજે 6.15 ઉપડી પરત ચેન્નાઈ જશે.આ સાથે જ ઇન્ડિગો દ્વારા સુરત-જયુપર વચ્ચે પણ વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.28 માર્ચથી જ શરૂ થનારી આ ફ્લાઈટ સુરતમાં સાંજે 7.10 કલાકે ઉડશે અને રાત્રે 8.35 કલાકે જયપુર પહોંચશે.આ ફ્લાઇટનું ભાડું 4500ની આસપાસ રહેશે.

બંને ફ્લાઇટનું ટાઇમ ટેબલ આ પ્રમાણે રહેશે

ચેન્નાઈથી ઉપડશે 3:35 PM
સુરત આવશે 5:40 PM
સુરતથી ઉપડશે 6:15 PM
ચેન્નાઈ પહોંચશે 8:20 PM
જયપુરથી ઉપડશે 12:50 PM
સુરત આવશે 2:20 PM
સુરતથી ઉપડશે 7:10 PM
જયપુર પહોંચશે 8:35 PM

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *