[weather_data]
Breaking News
TRENDING NEWS

ઉજૈનમાં મોટો અકસ્માત ટળ્યો, બાલ બાલ બચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા

[updated_date] [post_views]

Table of Content

મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં સોમવારે મોટો અકસ્માત ટળી ગયો હતો. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા રાણાજીની છતરી હેઠળ રામઘાટ તરફ જઇ રહ્યા હતા,ત્યારે સીડીની સીમેન્ટ રેલિંગ તેમની પાસેથી થોડાક અંતરે તૂટી ગઈ.આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.સિંધિયાએ સોમવારે ઇંદોર અને ઉજ્જૈનની મુલાકાત લીધી હતી.તે ઉજ્જૈનમાં મહાકાલની શાહી સવારીમાં પણ જોડાયા હતા.

એવું કહેવામાં આવ્યું છે કે,સિંધિયા રાણાજીની છતરી સાથે અહીં રામઘાટ તરફ જઈ રહ્યા હતા.તેઓ સીડી પરથી નીચે આવી રહ્યા હતા,ત્યારે ભીડનાં દબાણને કારણે બાજુની રેલિંગ તૂટી ગઈ હતી.તે સમયે,સિંધિયા તે સ્થાનથી થોડેક દૂર હતા.સિંધિયા અને રેલિંગ વચ્ચે એક સિક્યુરિટી ગાર્ડ હતો.રેલિંગ તૂટી પડતા સિંધિયા પણ થોડા સમય માટે ડરી ગયા હતા,પરંતુ તેમની સાથે રહેલા સુરક્ષાકર્મીઓએ રેલિંગનો કાટમાળ તેમની તરફ જતા અટકાવ્યો હતો.આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી.

જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં 27 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા-ચૂંટણીઓના સંદર્ભમાં રાજ્યનાં બે દિવસીય પ્રવાસ પર છે.જો કે, આ સમય દરમિયાન તે ફક્ત ઇન્દોર અને ઉજ્જૈન સુધી મર્યાદિત રહેશે.સિંધિયાનો મોટાભાગનો કાર્યક્રમ ભાજપનાં નેતાઓ અને કાર્યકરોને મળવાનો છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles