By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તરપ્રદેશમાં બધા જ મદરેસામાં રાષ્ટ્રગાન અનિવાર્યઃ એજ્યુકેશન બોર્ડનો નિર્ણય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તરપ્રદેશમાં બધા જ મદરેસામાં રાષ્ટ્રગાન અનિવાર્યઃ એજ્યુકેશન બોર્ડનો નિર્ણય
GeneralNational

ઉત્તરપ્રદેશમાં બધા જ મદરેસામાં રાષ્ટ્રગાન અનિવાર્યઃ એજ્યુકેશન બોર્ડનો નિર્ણય

HM News
Last updated: 13/05/2022 3:50 AM
HM News
3 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશમાં બધા જ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત થઈ ગયું છે.મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટારે તમામ અધિકારીઓને પરિપત્ર પાઠવી દીધો છે.આ નિર્ણય મદરેસા એજ્યુકેશન બોર્ડની મીટિંગમાં ૨૪મી માર્ચે લેવાયો હતો.વેકેશન પછી શરૃ થનારા તમામ મદરેસાઓમાં હવેથી રાષ્ટ્રગીત ફરજિયાત થઈ જશે.ઉત્તર પ્રદેશમાં ૧૬,૪૬૧ મદરેસા છે, એમાંથી ૫૬૦ મદરેસા સરકારી અનુદાનથી ચાલે છે.આ તમામ મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત કરી દેવાયું છે.પ્રાર્થના પહેલાં હવે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ગવાશે. લઘુમતી મંત્રી ધરમપાલ સિંહે ગયા મહિને કહ્યું હતું કે મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત ગવાશે.તે પછી આ નિર્ણય જાહેર થયો છે.સરકારી અનુદાનથી ચાલતી, સંસ્થાઓના સહયોગથી ચાલતી કે તે સિવાયની તમામ રજિસ્ટર મદરેસામાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત થઈ જશે.

મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટાર એસ.એન પાંડેએ તમામ લઘુમતી બાબતોના અધિકારીઓને અને મદરેસાઓને એક પરિપત્ર મોકલી દીધો છે.રમજાનની રજા પછી ખુલનારા તમામ મદરેસાઓમાં આ નવો નિયમ લાગુ થશે. નોટિફિકેશન પ્રમાણે મદરેસા એજ્યુકેશન બોર્ડની મીટિંગ ગત ૨૪મી માર્ચે યોજાઈ હતી.તે વખતે મદરેસામાં રાષ્ટ્રગીતનું ગાન ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો હતો.

ભાજપના નેતા, યુપી સરકારના લઘુમતી કલ્યાણ બોર્ડ, મુસ્લિમ વકફ બોર્ડના અધ્યક્ષ મોહસિન રજાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.આ મુસ્લિમ નેતાએ કહ્યું હતું કે આ નિર્ણયથી બાળકોમાં દેશભક્તિ વધશે.દેશ પ્રત્યે પ્રેમ વધશે.અનુશાસન વધશે.રાષ્ટ્રના નિર્માણમાં આ યોગ્ય નિર્ણય લેવાયો હોવાનું આ નેતાએ ઉમેર્યું હતું.ટીચર્સ એસોસિએશન મદરેસા અરબિયાના મહાસચિવ દીવાન સાહબ જમાન ખાને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ઘણાં મદરેસાઓમાં રાષ્ટ્રગીત પ્રાર્થના દરમિયાન ગવાતું હતું.ખાસ તો હમ્દ (અલ્લાહ માટે) અને સલામ (પૈયગમ્બર સાહેબ માટે)નો ક્લાસ શરૃ થાય તે પહેલાં રાષ્ટ્રગીત ગવાતું હતું, પરંતુ ફરજિયાત થઈ જતાં રાજ્યના તમામ મદરેસાઓમાં હવે દરરોજ રાષ્ટ્રગીત ગૂંજશે.

મુંબઈ આવતી ફલાઈટને સુરત ડાઈવર્ટ કરાઈ, મુંબઈમાં તાઉતે વાવાઝોડાને પગલે ત્રણ કલાક એરપોર્ટ બંધ
ચોમાસું ગુજરાત પહોંચ્યું, આગામી બે દિવસ વાવાઝોડા સાથે વરસાદ થશેઃ હવામાન વિભાગ
નાઇજીરિયામાં લોકડાઉનનો ભંગ કરનારા 18 લોકોના પોલીસની ગોળીથી મોત
અતીક-અશરફ હત્યાકાંડ મામલે 5 પોલીસ કર્મચારી સસ્પેન્ડ, SITના રિપોર્ટના આધારે કાર્યવાહી કરાઈ
ભાજપ દબાણ ઊભું કરે છે, ડરાવે છે અથવા ખરીદે છે, તેજસ્વી યાદવે કહ્યું- મહારાષ્ટ્રમાં જે પણ થઈ રહ્યું છે તે પૂર્વ આયોજિત છે
Share This Article
Facebook Email Print
Previous Article કાશ્મીરમાં ગોળી મારીને સરકારી અધિકારીની હત્યાઃ ઘાટીમાં ૧૬૮ આતંકવાદીઓ સક્રિય
Next Article ચોરોએ શાકભાજી ન લીધા, પણ 12 બોરી લીંબુ ચોરી ગયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up