દહેરાદૂન, તા. 2 ઓગસ્ટ : જાગેશ્વર ધામમાં મંદિર સમિતિના પ્રબંધક ભગવાન ભટ્ટ તેમજ પૂજારીઓ સાથે ગાળાગાળી અને અભદ્રતા કરવી ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપને ભારે પડી.ભગવાન ભટ્ટની ફરિયાદ હેઠળ પોલીસે ધર્મેન્દ્ર કશ્યપ,તેમના સાથી મોહન રાજપૂત અને સુશીલ અગ્રવાલ વિરૂદ્ધ મેજિસ્ટ્રેટના આદેશનુ ઉલ્લંઘન કરવા પર કલમ 188 અને ગાળાગાળી,અભદ્રતા કરવા પર કલમ 504ના હેઠળ FIR કરી છે.અલ્મોડા એસડીએમે આની પુષ્ટિ કરી છે.સાંસદના અમર્યાદિત આચરણના વિરોધમાં રવિવારે કુમાઉમાં કેટલાક સ્થળો પર લોકોએ પ્રદર્શન કર્યુ.
પ્રબંધક ભગવાન ભટ્ટે ઉપ નિરીક્ષક કોટુલીને જણાવ્યુ કે શનિવારે 31 જુલાઈએ સાંજે 3:30 વાગે સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ પોતાના બે સાથીઓ મોહન રાજપૂત,સુશીલ અગ્રવાલ અને યુપી પોલીસના ચાર સુરક્ષા કર્મીઓની સાથે મંદિરમાં પૂજન માટે આવ્યા. પૂજાની વ્યવસ્થા પં. ગિરીશ ભટ્ટે કરાવી.મંદિર પ્રબંધ સમિતિની એસઓપી અનુસાર મંદિરમાં સવારે 6:30 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી દર્શન અને સવારે સાતથી સાંજે સાડા ચાર વાગ્યા સુધી પૂજા માટે સમય નક્કી છે.નિયમાનુસાર સાંજે છ વાગે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે.
આની જાણકારી વારંવાર આપ્યા બાદ પણ 6:30 વાગ્યા સુધી સાંસદ કશ્યપ અને તેમના સાથી મંદિર પરિસરમાં રહ્યા.જ્યારે સાંસદ અને તેમની સાથે આવેલા મોહન રાજપૂતને મંદિર પરિસરમાંથી બહાર જવાની વિનંતી કરી તો મોહને તકરાર શરૂ કરી દીધી અને સાથે ઉભેલા સાંસદ કશ્યપ ગાળો આપવા લાગ્યા.સાંસદે પૂજારીઓ અને સ્થાનિક જનતા માટે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો.સાંસદ અને તેમના સાથીઓના અભદ્ર વ્યવહારથી દરેક શ્રદ્ધાળુ અચંબિત છે.કોટુલીના રાજસ્વ ઉપ નિરીક્ષક ગોપાલ સિંહ બિષ્ટે જણાવ્યુ કે તપાસ કરીને ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
જાગેશ્વર ધામમાં પૂજારીઓએ કર્યા ધરણા
શનિવારે સાંજે જાગેશ્વર ધામમાં આવીને મંદિર સમિતિના પદાધિકારીઓની સાથે અભદ્રતા અને ગાળાગાળીથી નારાજ પૂજારી સાંસદ વિરૂદ્ધ કાર્યવાહીની માગને લઈને ધરણા પર બેઠા છે.પૂજારીઓએ આ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન પણ કરાવ્યા નથી. તેમણે કહ્યુ કે ભવિષ્યમાં આવી પુનરાવૃત્તિ ના થાય તે માટે પણ મોટા પગલા ઉઠાવવામાં આવે.
આ ઘટનાથી જાગેશ્વર ધામના પૂજારી અને જનતા આક્રોશિત છે.પૂજારીઓએ સાંસદ કશ્યપ વિરૂદ્ધ કાર્યવાહીની માગને લઈને રવિવારે સાંજે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જાગેશ્વર મંદિર પરિસરમાં ધરણા કર્યા.તેમણે કહ્યુ કે સમાજનો કોઈ પણ વ્યક્તિ જાગેશ્વર ધામમાં પૂજા કરવા પહોંચે તો તે સામાન્ય માણસોની જેમ જ પૂજા અનુષ્ઠાન કરે.