By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તરાખંડના BJP સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ વિરૂદ્ધ જાગેશ્વર ધામમાં અભદ્રતા મુદ્દે ફરિયાદ નોંધાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તરાખંડના BJP સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ વિરૂદ્ધ જાગેશ્વર ધામમાં અભદ્રતા મુદ્દે ફરિયાદ નોંધાઈ
GeneralNational

ઉત્તરાખંડના BJP સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ વિરૂદ્ધ જાગેશ્વર ધામમાં અભદ્રતા મુદ્દે ફરિયાદ નોંધાઈ

HM News
Last updated: 02/08/2021 9:59 AM
HM News
4 years ago
Share
SHARE

દહેરાદૂન, તા. 2 ઓગસ્ટ : જાગેશ્વર ધામમાં મંદિર સમિતિના પ્રબંધક ભગવાન ભટ્ટ તેમજ પૂજારીઓ સાથે ગાળાગાળી અને અભદ્રતા કરવી ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપને ભારે પડી.ભગવાન ભટ્ટની ફરિયાદ હેઠળ પોલીસે ધર્મેન્દ્ર કશ્યપ,તેમના સાથી મોહન રાજપૂત અને સુશીલ અગ્રવાલ વિરૂદ્ધ મેજિસ્ટ્રેટના આદેશનુ ઉલ્લંઘન કરવા પર કલમ 188 અને ગાળાગાળી,અભદ્રતા કરવા પર કલમ 504ના હેઠળ FIR કરી છે.અલ્મોડા એસડીએમે આની પુષ્ટિ કરી છે.સાંસદના અમર્યાદિત આચરણના વિરોધમાં રવિવારે કુમાઉમાં કેટલાક સ્થળો પર લોકોએ પ્રદર્શન કર્યુ.

પ્રબંધક ભગવાન ભટ્ટે ઉપ નિરીક્ષક કોટુલીને જણાવ્યુ કે શનિવારે 31 જુલાઈએ સાંજે 3:30 વાગે સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ પોતાના બે સાથીઓ મોહન રાજપૂત,સુશીલ અગ્રવાલ અને યુપી પોલીસના ચાર સુરક્ષા કર્મીઓની સાથે મંદિરમાં પૂજન માટે આવ્યા. પૂજાની વ્યવસ્થા પં. ગિરીશ ભટ્ટે કરાવી.મંદિર પ્રબંધ સમિતિની એસઓપી અનુસાર મંદિરમાં સવારે 6:30 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી દર્શન અને સવારે સાતથી સાંજે સાડા ચાર વાગ્યા સુધી પૂજા માટે સમય નક્કી છે.નિયમાનુસાર સાંજે છ વાગે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે.

આની જાણકારી વારંવાર આપ્યા બાદ પણ 6:30 વાગ્યા સુધી સાંસદ કશ્યપ અને તેમના સાથી મંદિર પરિસરમાં રહ્યા.જ્યારે સાંસદ અને તેમની સાથે આવેલા મોહન રાજપૂતને મંદિર પરિસરમાંથી બહાર જવાની વિનંતી કરી તો મોહને તકરાર શરૂ કરી દીધી અને સાથે ઉભેલા સાંસદ કશ્યપ ગાળો આપવા લાગ્યા.સાંસદે પૂજારીઓ અને સ્થાનિક જનતા માટે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો.સાંસદ અને તેમના સાથીઓના અભદ્ર વ્યવહારથી દરેક શ્રદ્ધાળુ અચંબિત છે.કોટુલીના રાજસ્વ ઉપ નિરીક્ષક ગોપાલ સિંહ બિષ્ટે જણાવ્યુ કે તપાસ કરીને ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

જાગેશ્વર ધામમાં પૂજારીઓએ કર્યા ધરણા

શનિવારે સાંજે જાગેશ્વર ધામમાં આવીને મંદિર સમિતિના પદાધિકારીઓની સાથે અભદ્રતા અને ગાળાગાળીથી નારાજ પૂજારી સાંસદ વિરૂદ્ધ કાર્યવાહીની માગને લઈને ધરણા પર બેઠા છે.પૂજારીઓએ આ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન પણ કરાવ્યા નથી. તેમણે કહ્યુ કે ભવિષ્યમાં આવી પુનરાવૃત્તિ ના થાય તે માટે પણ મોટા પગલા ઉઠાવવામાં આવે.

આ ઘટનાથી જાગેશ્વર ધામના પૂજારી અને જનતા આક્રોશિત છે.પૂજારીઓએ સાંસદ કશ્યપ વિરૂદ્ધ કાર્યવાહીની માગને લઈને રવિવારે સાંજે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જાગેશ્વર મંદિર પરિસરમાં ધરણા કર્યા.તેમણે કહ્યુ કે સમાજનો કોઈ પણ વ્યક્તિ જાગેશ્વર ધામમાં પૂજા કરવા પહોંચે તો તે સામાન્ય માણસોની જેમ જ પૂજા અનુષ્ઠાન કરે.

56ની છાતીવાળા ખુલ્લા પડ્યા : ભાજપની આ આદત રહી છે કે, જીતનો શ્રેય લેવામાં આગળ અને હાર થતાં છૂપાઈ જાય છે !!!
સ્ટાફ ઘટ, 24 કલાકની નોકરી, ઓછુ વળતર સહિતના મુદ્દે ફાયર જવાનોનું શોષણ
કોરોના વાયરસના દૈનિક કેસોમાં રાહત, આજે મળ્યા 29398 નવા કેસ
રાજ્યના IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર : ગમે તે ઘડીએ ઓર્ડર થઇ શકે
રાજસ્થાનમાં હત્યા બાદ ભારે આક્રોશ, કલમ ૧૪૪ લાગુ
Share This Article
Facebook Email Print
Previous Article કર્ણાટક બાદ ભાજપ વધુ એક રાજ્યમાં બદલશે મુખ્યમંત્રી! દિલ્હીમાં શાહ-શિવરાજની બેઠકથી અટકળો તેજ
Next Article IPS રાકેશ અસ્થાનાના મામલે મોદી અને અમિત શાહની નહીં ચાલે મનમાની, આ છે સુપ્રીમ કોર્ટના ચૂકાદા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up