[weather_data]
Breaking News
TRENDING NEWS

ઉત્તર ગુજરાતના જૈન સાધુએ બાંધ્યા યુવતી સાથે શારીરિક સંબંધ, યુવતી કેમ પહોંચી પોલીસ સ્ટેશનમાં

[updated_date] [post_views]

Table of Content

હિંમતનગર : ઉત્તર ગુજરાતના વધુ એક જૈન સાધુ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા છે અને તેમની સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.ઈડર પાવાપુરી જલ મંદિરના સાધુ મહારાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચ્યો છે.

પાવાપુરી જલ મંદિરના રાજા સાહેબ ઉર્ફે રાજતીલક સાગર સામે નોંધાયેલી ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે,આઠ વર્ષ પહેલાં સાધુ મહારાજે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું.

આ અગાઉ પાવાપુરી જલ મંદિરના બે સાધુ મહારાજ સામે છેડતીની ફરિયાદ નોંધાઇ હતી.બે સાધુઓ પૈકી ના એક સાધુ સામે મંગળવારે મોડી રાત્રે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.અગાઉ બંને સાધુ મહારાજને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે શરતી જામીન આપ્યા હતા.બે મહિના અગાઉ પાવાપુરી જૈન મંદિરના બે સાધુ સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઇ હતી.જૈન મંદિરના સાધુ સામે અગાઉ પણ ઇડર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

લોકોને સંયમના પાઠ શીખવતા જૈન સાધુ ફરીથી વિવાદમાં આવ્યા છે.આ વખતે નું પાવાપુરી જલમંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે.ઈડરના પાવાપુરી જલમંદિરના રાજતિલક સાગરજી સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 8 વર્ષ અગાઉ લગ્નની લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ખળભળાટ મચાવી નાંખતો આરોપ મૂક્યો છે.ઈડર પોલીસે હાલ મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ઇડર પાવાપુરી જલ મંદિરના મહારાજ સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ફરી એકવાર મંદિરના સાધુ વિવાદમાં આવ્યા છે. પાવાપુરી જલ મંદિરના રાજા સાહેબ ઉર્ફે રાજ તિલક સાગરજી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.અહીં એક મહિલાએ આઠ વર્ષ પહેલાનો કાળો ચિઠ્ઠો ખોલ્યો છે.આ ઘટનામાં મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આઠ વર્ષ પહેલા મહારાજે મારી સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું.

એટલું જ નહીં,મહિલાએ જલમંદિરના સાધુ રાજ તિલક સાગરજી પર આરોપ લગાવ્યો હતો કે,તેમણે મારી દીકરીને પોતાની દીકરીની જેમ રાખવાની લાલચ પણ આપી હતી. પરંતુ તેમણે એક પણ વચન પાળ્યું નહોતું.તેમણે મારી સાથે લગ્ન પણ કર્યા નથી જ્યારે મને આ વિશે છેતરાયા હોવાનો અહેસાસ થયો ત્યારે મહિલાએ ઇડર પોલીસ સ્ટેશનમાં રાજા સાહેબ ઉર્ફે રાજતિલક સાગરજી સામે ફરિયાદ નોધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પાવાપુરી જળ મંદિરના બે મહારાજ સામે છેડતીની ફરિયાદ નોધાઇ હતી.જેમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા બંને મહારાજની અટકાયત પણ કરી હતી. બંને મહારાજને કોર્ટમાં રજુ કરતા જામીન મળ્યા હતા.ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ પર તંત્ર, મંત્ર અને મેલી વિદ્યાઓના નામે જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરવના આક્ષેપ થયો હતો.જૈન તીર્થના ટ્રસ્ટીએ જ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.ઈડર પોલીસે આ મામલે ભોગ બનનાર મહિલાઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles