ઉત્તર ગુજરાતમાં તલાટી મહામંડળ દ્વારા અધિકારીઓને આવેદનપત્રો અપાયા

HM News
2 Min Read

મહેસાણા, પાલનપુર, તા.13 : રાજ્યમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા છેલ્લા ૩ વર્ષ થી ૧૧ જેટલા પડતર પ્રશ્નોને મામલે સરકારમાં અનેક રજુઆત કરાઈ છે જેનોે ઉકેલ ન આવતા રાજ્ય વ્યાપી આંદોલનમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર અને પાટણ ખાતે તલાટી મંત્રીઓએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્રો પાઠવ્યા છે. મહેસાણા જિલ્લાના ૩૫૦ જેટલા તલાટીઓએ અધિકારીઓ સાથે જોડાયેલા વોટ્સએપ ગ્રુપમાંથી એક સાથે નીકળી જઈ નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા રાજ્યના તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા સભ્યોના હીતમાંએ વર્ષ ૨૦૧૮ થી સરકાર સમક્ષ ૨૦૦૪-૦૫ અને ૨૦૦૬માં ભરતી થયેલ તલાટીઓની સળંગ નોકરી ગણવા, ૨૦૧૬ બાદમાં પ્રથમ -દ્વિતીય પગાર ધોરણ ગણવા, પ્રમોશન આપવા, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી તરીકે મર્જ કરવા, ઇ ટી એ એસકે અન્ય ઉપકરણથી તલાટીઓની હાજરી પુરવાનો નિર્ણય રદ કરવા,આંતર જિલ્લા ફેરબદલી,પંચાયત વિભાગ સહિત અન્ય વિભાગની કામગીરી ન સોંપવા, ફરજ મોકૂફી, ફરજ દરમિયાન થતા હુમલાઓ અને નવું મહેકમ નક્કી કરી એક ગામ એક તલાટી સહિતના ૧૧ મુદ્દાઓ મામલે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. બે વર્ષ અગાઉ તલાટી મંડળે હડતાળ પાડતા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તલાટી મંડળને તેમની માંગો પુરી કરવા બાંહેધરી આપી હતી.પરંતુ માંગો પુરી ન કરાતા ૧૩ સપ્ટેમ્બરે તલાટી મંડળ દ્વારા આંદોલનના ભાગ રૂપે ૭ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોમ્બર સુધી વિવિધ કાર્યક્રમો નક્કી કરાયા છે.જેમાં આજે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવા અને વોટસએપ ગ્રુપમાંથી નીકળી જવાનું નક્કી કરાયું હોઈ મહેસાણા,પાલનપુર અને પાટણ ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.રાધનપુર ખાતે પણ તાલુકા તલાટી મંડળે આવેદનપત્ર આપ્યું હતું.મહેસાણા જિલ્લાના ૩૫૦ જેટલા તલાટી કમ મંત્રીઓ અધિકારી સાથે જોડાયેલા વોટસએપ ગ્રુપમાંથી સામુહિક રીતે નીકળી જઈ નારાજગી દર્શાવી હતી. આંદોલનના ભાગ રુપે તલાટીઓ આગામી ૨૦ સપ્યેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે, ૨૭મી સપ્ટેમ્બરે પેનડાઉન, ૧૦ ઓક્ટોમ્બરે જિલ્લા કક્ષાએ અને ૧૨ ઓક્ટોમ્બરે રાજ્ય કક્ષાએ એક દિવસીય ધરણાં કાર્યક્રમ યોજાશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *