આજે પારસી કોમનું નવું વર્ષ એટલે નવરોઝ.આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓએ પારસીઓના નવા કેલેન્ડર વર્ષ ૧૩૯૧ ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે.ત્યારે પારસીઓ વિશ્વના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડા ખાતે પારસીઓએ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી હતી.
ઉદવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.તો પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારતમાં આશરો મળ્યો હતો.ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે.ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના રાજા જાદિ રાણાને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે.
આજે પારસીઓના ઈરાની કેલેન્ડર મુજબ 1391મા નવા વર્ષની શરૂઆત થઇ છે.પારસીઓનું કાશી એવા વિશ્વના સૌથી મોટા ધર્મ સ્થળ ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસીઓ માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે.પારસીઓના ધર્મગુરુ એવા વડા દસ્તુર દ્વારા આજે પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી હતી.ઉદવાડા ખાતે દેશભરમાંથી પારસી બંધુઓ આવી ઇષ્ટ દેવ આતશ બહેરામની પૂજા અર્ચના કરે છે.પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી સમાજને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લા દિવસ એટલે પતેતી,પતેતી એટલે વર્ષ દરમિયાન કરેલા પાપના પ્રશ્ચાતાપ કરવાનો દિવસ,દરેક પારસી પતેતીના રોજ પારસી વિધિ મુજબ પેટેટ પશીમાનીની વિધિ કરે છે.આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે માફી માંગવાની હોય છે.પતેતી પછીનો દિવસ એટલે નવરોઝ નવા વર્ષનો પ્રથમ દિવસ. આમ નવરોઝના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ લે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.ઉદવાડા ખાતે આજે દેશભરમાંથી પારસીઓ પવિત્ર આતશ બહેરામની પૂજા માટે આવ્યા હતા. સુખડથી પારસીઓ પૂજા કરી નવું વર્ષ સારું જાય તે માટે પ્રાર્થના કરે છે અને આજે પણ પારસીઓ પોતાને આશરો આપનાર જાદી રાણા અને ભારત દેશનો આભાર માને છે.
પારસી કોમ ભારતની પ્રજા જોડે ભળી ગઈ છે. તો ઉદ્યોગ ક્ષેત્રથી લઈને દેશની સેવા સુધીના મોટા હોદ્દા ઉપર પારસીઓ પહોંચ્યા છે.અને પોતાની જવાબદારી કુનેહપૂર્વક નિભાવી ચુક્યા છે.ખરેખર પારસીઓ એ જે વચન આપ્યું હતું એનું આજે પણ પાલન કરી રહ્યા છે.અને એટલે જ માઈક્રો લઘુમતી કોમ એવા પારસીઓ દેશના વિકાસ માટે, દેશની સુરક્ષા માટે હંમેશા ખડે પગ ઉભા રહે છે.આજના પારસી નવ વર્ષ નવરોઝ નિમિતે ” હિન્દુસ્તાન મિરર ” અખબાર તમામ પારસી બિરદારો અને ભાઈઓ તેમજ બેહનોને શુભકામના પાઠવે છે.

