ઉદ્ધવ ઠાકરે જૂથના સંપર્કમાં શિંદે સેનાના અનેક MLA, મંત્રી પદને લઈને પક્ષમાં છે અશાંતિ !

HM News
3 Min Read
Pc : Twitter

એકનાથ શિંદે સમર્થક ધારાસભ્યોમાં એ માહિતી મેળવવાની ઉત્સુકતા છે કે આખરે તેમનું નામ કેબિનેટ વિસ્તારમાં છે કે નહીં.જો નથી તો અનેક ધારાસભ્યો મંત્રી ન બનવાની સ્થિતિમાં પાર્ટી બદલવા સુદ્ધાના મૂડમાં છે.મહારાષ્ટ્રમાં ચર્ચા છે કે મૉનસૂન સેશન શરૂ થતા પહેલા એકવાર ફરીથી કેબિનેટ વિસ્તાર થઈ શકે છે.આ મહિનાની શરૂઆતમાં જ અજિત પવારની લીડરશિપમાં આવેલા એનસીપી જૂથના 9 મંત્રીઓએ શપથ લઈ લીધા હતા.ત્યાર બાદ હવે એકનાથ શિંદે અને ભાજપ જૂથના પણ કેટલાક નેતાઓને જ મંત્રી પદ આપવામાં આવી શકે છે.આ દરમિયાન એકનાથ શિંદે સમર્થક ધારાસભ્યોમાં એ જાણવાની ઉત્સુકતા છે કે આખરે તેમનું નામ કેબિનેટ વિસ્તારમાં હશે કે નહીં.એટલું જ નહીં કેટલાક વિધેયકો તો પાર્ટી બદલવાના મૂડમાં પણ છે. સૂત્રોનું કહેવું છે કે કેટલાક ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે સેનાના પણ સંપર્કમાં છે અને જો મંત્રી પદ ન મળ્યું તો તેમની સાથે જવા મામલે પણ વિચારી શકે છે.

એટલું જ નહીં એનસીપીના વિધેયકોમાં પણ બેચેની છે.તેમણે આ વાતની ચિંતા છે કે આખરે કયા વિભાગ તેમને મળી શકશે.આ ધારાસભ્યોની શપથ વિધિને એક અઠવાડિયાથી વધારે થઈ ગયું છે,પણ અત્યાર સુધી વિભાગોની વહેંચણી થઈ શકી નથી. તાજેતરમાં અજિત પવારે નાણાં મંત્રાલય,ઉર્જા મંત્રાલય સહિત અનેક મહત્વના વિભાગની માગ કરી હતી,પણ શિંદે જૂથને આ મામલે વાંધો હતો.એવામાં તેમને વિભાગોની વહેંચણી થઈ શકી નથી.હવે માહિતી છે કે દિલ્હીમાં ભાજપની હાઈકમાન આ મામલે મંથન કરે છે.આગામી બેથી ત્રણ દિવસમાં જ મંત્રીઓને વિભાગની વહેંચણી અને વિસ્તાર થઈ શકે છે.

માહિતી છે કે 14 વધુ મંત્રીઓને સરકારમાં સમાવી શકાય છે.આ સરકારમાં હાલ ત્રણ પાર્ટીઓ છે,જેમાં ભાજપ,એકનાથ શિંદે સેના અને ઉદ્ધવ ઠાકરે સેના છે.આથી ત્રણેય પક્ષોની સંમતિ અને પછી ભાજપ હાઈકમાન પાસેથી સ્વીકૃતિ મળવામાં મોડું થઈ રહ્યું છે.ચર્ચા છે કે ભાજપ હાઈકમાન પોતાના જ કેટલાક મંત્રીઓ અને શિંદે જૂથના કેટલાક નેતાઓના કામકાજથી ખુશ નથી.એવામાં આ લોકો પાસેથી રાજીનામું માગી શકાય છે.પછી તેમની જગ્યાએ નવા મંત્રી લાવી શકાય છે અને કેટલાક વધારી પણ શકાય છે.આ દરમિયાન એકનાથ શિંદે જૂથમાં પણ બેચેનીની સ્થિતિ જળવાયેલી છે.

ગયા વર્ષે એકનાથ શિંદે સાથે આવેલા 40 વિધેયકોમાંથી મોટાભાગનાને હવે મંત્રી બનવાની રાહ છે.કેટલાક તો એવા છે, જે ઉદ્ધવ ઠાકરેના રાજમાં પણ મંત્રી હતા.એવામાં આ લોકો મંત્રી બનવું પોતાનો હક માની રહ્યા છે અને ભાવ ન મળવાથી નારાજ પણ છે.અનેક નેતાઓ ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં પણ છે,જેથી એકનાથ શિંદે જૂથ પર દબાણ વધી રહ્યું છે.એનસીપીની સરકારમાં આવતા પહેલા ચર્ચા હતી કે શિંદે જૂથના ધારાસભ્યોને 12થી 13 મંત્રી પદ મળી શકે છે.પણ હવે તેમને આની શક્યતા ઓછી લાગી રહી છે.આને કારણે એકનાથ શિંદેને પોતાના સમર્થકોને સમજાવવા મુશ્કેલ પડી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *