By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન આપતા મામલો બિચક્યો, નાસિકમાં ભાજપની ઓફિસ પર પથ્થરમારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન આપતા મામલો બિચક્યો, નાસિકમાં ભાજપની ઓફિસ પર પથ્થરમારો
GeneralNationalPolitics

ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન આપતા મામલો બિચક્યો, નાસિકમાં ભાજપની ઓફિસ પર પથ્થરમારો

HM News
Last updated: 24/08/2021 8:14 AM
HM News
4 years ago
Share
SHARE

મહારાષ્ટ્રના નાસિકમાં બીજેપી ઓફિસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે.આ પથ્થરમારો કર્યાનો આરોપ શિવસેનાના કાર્યકર્તાઓ પર લાગ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નારાયણ રાણેના નિવેદન પર વિવાદ સર્જાતા આ ઘટના ઘટી છે. બીજી બાજુ નાસિક પોલીસ રાણેની ધરપકડ કરવા માટે નીકળી છે.જ્યારે મુંબઇમાં શિવસેનાના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને નારાયણ રાણેની ધરપકડની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

અત્રે મહત્વનું છે કે, તાજેતરમાં જ નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઇને એક નિવેદન આપ્યું હતું.આ નિવેદનમાં તેઓએ ઠાકરેની નિંદા કરવાની સાથે તેઓને ‘થપ્પડ’ પણ મારવા સુધીની વાત કહી નાખી હતી.રાણેના આ નિવેદન બાદ તેઓની પર FIR પણ દાખલ કરવામાં આવી છે.જ્યાર બાદ આજે નાસિક પોલીસ રાણેની ધરપકડ કરવા રત્નાગિરી જશે.નાસિક પોલીસ કમિશ્નર દીપક પાંડેએ નારાયણ રાણેની ધરપકડ માટેના આદેશ આપ્યાં છે જ્યાર બાદ પોલીસ ટીમ ત્યાં જવા માટે રવાના થઇ ગઇ છે.

બીજી બાજુ નારાયણ રાણે પર શિવસેનાના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળતા નાસિકમાં બીજેપી ઓફિસ પર પથ્થરમારો કર્યો છે.જેનો વીડિયો પણ સામે આવ્યો છે.આરોપ છે કે, શિવસેનાના કાર્યકર્તાઓએ પથ્થમારો કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.

રાણેએ રાયગઢમાં આપ્યું હતું નિવેદન

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ભાજપની જન આશિર્વાદ યાત્રા દરમ્યાન રાયગઢમાં આ અંગે નિવેદન આપ્યું હતું.જેની પર વિવાદ થઇ રહ્યો છે.રાણેએ કહ્યું હતું કે, CM ઉદ્ધવ ઠાકરે એવું ભૂલી ગયા હતાં કે, દેશ ક્યારે આઝાદ થયો હતો અને વર્ષ ભૂલ્યાં બાદ તેઓએ પોતાના સહયોગીને પૂછ્યું હતું.’ રાણેએ કહ્યું હતું કે, ‘આ શરમજનક છે કે, મુખ્યમંત્રીને એ પણ ખ્યાલ નથી કે આપણને આઝાદ થયે કેટલાં વર્ષ થયાં. પોતાના ભાષણ દરમ્યાન તેઓએ પાછળ ફરીને પોતાના સહયોગીને પૂછ્યું હતું.જો હું ત્યાં હોત તો તેઓને જોરદાર થપ્પડ મારી દેત.’ આ નિવેદન બાદ રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે.

CORONA : દેશમાં અમૂક સ્થળોએ લંબાવાશે લૉકડાઉન, શનિવાર સુધીમાં નિર્ણય
ઉત્તરપ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલો વિધર્મી યુવક ઝડપાયો, પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
અમેરિકાના પેલોસી યુક્રેન પહોંચ્યાઃ ટેકાની ખાતરી
‘માતા-પિતાની સોગંધ… અમિત શાહે CM પદ માટે મને અઢી વર્ષ આપવાનું કહ્યું હતું પણ…’, ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
અધૂરી કેનાલોને કારણે ધ્રાંગધ્રામાં પાણીની વિકટ સમસ્યા
Share This Article
Facebook Email Print
Previous Article આત્મહત્યા કરનારાઓનું મૃત્યું બાદ શું થાય છે ? જાણો શું કહે છે ગરુડ પુરાણ
Next Article કેન્દ્રીય મંત્રી રાણેના વિવાદાસ્પદ નિવેદન બાદ મુંબઈમાં શિવસેના-ભાજપના કાર્યકરો આમને-સામને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up