– ભાજપા નેતા અને પૂર્વ મંત્રી ગિરીશ મહાજન સહિત અન્ય 28 લોકો વિરુદ્ધ ગેરવસૂલી અને ગુનાહિત કાવતરુંનો કેસ દાખલ કરવામાં આવ્યો છે
મુંબઈ, તા. 23 જુલાઈ 2022, શનિવાર : મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારે ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લીધેલા ઘણા નિર્ણયોને પલટી નાખ્યા છે.ત્યારબાદ હવે એક પગલું આગળ ભરતા આ નવી સરકારે ઠાકરેના કાર્યકાળ દરમિયાનના કેટલાક મહત્વપૂર્ણ મામલાની તપાસ CBIને સોંપવાની તૈયારી કરી લીધી છે.
મહારાષ્ટ્રમાં નવી સરકાર હવે મહત્વપૂર્ણ મામલાની તપાસ મહારાષ્ટ્ર પોલીસ પરથી CBIને સૌંપવાની તૈયારી કરી છે.આ સાથે જ એ પણ જણાવ્યું કે, ભાજપા નેતા ગિરીશ મહાજન સહિત અન્ય 28 લોકો વિરુદ્ધ ગેરવસુલીનો કેસ પણ દાખલ કર્યો છે. IPS અધિકારી રશ્મિ શુક્લાને સંકટમાં મૂકતી ફોન ટેપિંગ રેકોર્ડ લિક થવા સબંધિત મામલાને પણ CBIને ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નવી સરકાર આવતા જ મહારાષ્ટ્રમાં બે મહત્વપૂર્ણ મામલાને CBIને ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી પોલીસને આ પ્રકારનો નિર્દેશ આપવામાં આવ્યો છે.મહા વિકાસ આઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન નોંધાયેલા કેસોને રાજ્યમાં સત્તા પરિવર્તનની સાથે જ કેન્દ્રીય એજન્સીઓને સોંપી દેવા માટે કહેવામાં આવ્યું છે.
ભાજપા નેતા અને પૂર્વ મંત્રી ગિરીશ મહાજન સહિત અન્ય 28 લોકો વિરુદ્ધ ગેરવસૂલી અને ગુનાહિત કાવતરુંનો મામલો નોંધવામાં આવ્યો છે.આ સાથે જ ફોન ટેપિંગ રિપોર્ટ લીક કરવા મામલે મુંબઈ પોલીસ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
CBI પૂણે પોલીસ વિરુદ્ધ ગેરવસુલી મામલે 29 આરોપીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની પણ તપાસ કરશે.એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમને તપાસ સ્થાનાંતરિત કરવાનો આદેશ મળ્યો છે પરંતુ પ્રક્રિયા પ્રમાણે CBIએ તેનો સ્વીકાર કરવો પડશે. ત્યારબાદ આ કેસ અને દસ્તાવેજો તેમને સોંપવામાં આવશે.
શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવ્યા બાદ ઠાકરે સરકારે લીધેલા શહેરોના નામકરણ સહિત અન્ય કેટલાક નિર્ણયો સ્થગિત કરવામાં આવ્યા હતા.આ સાથે મેટ્રોને લઈને ઠાકરે સરકારના નિર્ણયને પણ બદલવામાં આવ્યા હતો.એક તરફ નિર્ણય બદલવાની અને તેને બાજુ પર રાખવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ કેટલાક ગુનાઓની તપાસ સીધી CBIને સોંપવામાં આવી રહી છે.