– વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ઈચ્છી રહ્યા છે કે મુશ્કેલ સમયમાં કોઈપણ રોકાણકારોના હાથ છોડવાના બદલે તેમને શક્ય હોય તેટલી મદદ કરવામાં આવે.
દિલ્હી,
ચીન પ્રત્યેના ઘણા દેશોના ગુસ્સાનો ફાયદો વિયતનામ,ફિલીપીન્સ,શ્રીલંકા,આફ્રિકા,બાંગ્લાદેશ ન ઉઠાવી લે તે માટે ભારત સરકાર સતર્ક થઇ ગઈ છે.ઘણા દિવસોથી મંત્રાલયમાં સતત આ મુદે બેઠક થઇ રહી છે કે ભારતે આ અવસરનો લાભ કેવી રીતે મેળવવો જોઈએ અને વિશ્વની સપ્લાય ચેનમાં પોતાનો હિસ્સો વધારવો વધારવો જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે મંત્રાલય અને અધિકારીઓને ગુરુ મંત્ર આપ્યો છે.વડાપ્રધાને દેશમાં વિદેશી રોકાણ લાવવા માટે કોમ્પ્રીહેન્સીવ બેઠક લીધી હતી.આ મીટીંગમાં નાણા મંત્રી,કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રી,ગૃહ મંત્રી સહીત અનેક મંત્રાલયના રાજ્ય મંત્રી અને અધિકારીઓ સામેલ હતા.
વડાપ્રધાન મોદીએ મંત્ર આપ્યો હતો કે, પુખ્તા યોજના સાથે રોકાણકારોને આકર્ષિત કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ પ્રોએક્ટીવ થઈને રોકાણકારોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે દરેક કલીયરન્સ આપવા માટે જણાવ્યુ હતું.જમીન,પ્લોટ,એસ્ટેટ સાથે જરૂરી નાણાંકીય સપોર્ટ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું.સાથે જ દરેક રોકાણકારોને આવનારી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નિર્દેશ આપ્યા હતા.
.વડાપ્રધાન મોદીએ ભારતીય ઘરેલું ઉદ્યોગને પ્રમોટ કરવા માટે ફાસ્ટ ટ્રેક રણનીતિ બનાવવા માટે પણ વાત કરી હતી.સાથે જ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે,તેઓ ઈચ્છી રહ્યા છે કે મુશ્કેલ સમયમાં કોઈપણ રોકાણકારોના હાથ છોડવાના બદલે તેમને શક્ય હોય તેટલી મદદ કરવામાં આવે.
આ પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયેલે હાલમાં ક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની બેઠક લીધી હતી.જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક્સ્પોટર્સને તૈયાર રહેવાની જરૂર છે. ભારત સરકાર તેમને સહાય કરવા માટે તૈયાર છે.સાથે જ ઘણા ઇન્સેન્ટીવ આપવા માટે પણ તૈયારી કરી લીધી છે.દરેક ઇન્સેન્ટીવ એવી રીતે હશે કે તેઓ WTO ના નિયમોનું ઉલ્લંઘન ન કરે.અર્થાત ભારત પોતાની પાસે આવેલો અવસર છોડવા માટે માંગતો નથી અને તેને પરિપૂર્ણ કરવા માટે શક્ય હોય તેટલા તમામ પ્રય્તન કરી રહ્યું છે.