વલસાડ,22 મે : સોસિયલ મીડિયામાં થયેલી ટિપ્પણી ને લઈને થયેલ વિવાદથી ઉમરગામ ચિત્રકૂટમાં રહેતા મુસ્લિમ ઈસમોએ બે યુવાનોને રસ્તે રોકી સળિયા,લાકડાથી હુમલો કરી ગંભીર ઇજા પહોચાડતા બે જુથ વચ્ચે ધીંગાણું થતા જિલ્લા પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
ઉમરગામ હરીશ ટેક્સ્ટાઇલ લિમિટેડ કંપની સામે રહેતા ફરિયાદી તીર્થ મહેન્દ્ર પ્રસાદ તેના મિત્ર આકાશ સાથે મોટર સાઇકલ ઉપર ઉમરગામ ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ મસ્જિદની સામે રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે ૧૫ જણાનું ટોળુ એક સંપ થઇ એક બીજાની મદદગાર બની મંડળી બનાવી રસ્તામાં મોટરસાઇકલ રોકી ફરિયાદી તીર્થ પ્રસાદ અને તેના મિત્ર આકાશને ગાળ ગલોચ આપી ઝઘડો કરી તમને લોકોને આજે જીવતા નહીં છોડીએ એવું કહી ઠિક્કા મૂકી અને લાકડા અને સળીયાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.આ બનાવ બાદ ચિત્રકૂટ વિસ્તારમાં બે જુથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું.ઘટનાની જાણ થતા ઉમરગામ પોલીસ તેમજ વાપી ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ધસી આવી સ્થિતિને કાબુમાં કરી હતી.