વલસાડ, 16 જૂન : ઉમરસાડી માછીવાડ રોડ પર દેસાઈવાડના હદ વિસ્તારમાં આવેલા બે એપાર્ટમેન્ટ દ્વારા ખુલ્લામાં ગંદકી ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.જેને લઈ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સ્થાનિકોએ ગંદકી દૂર કરાવવાની માંગ કરી છે સ્થાનિકોએ અનેક વાર પંચાયતને ફરિયાદ કરી છે તેમ છતાં પરિણામ શૂન્ય મળતા સ્થાનિકો ત્રાહિમાંમ પોકારી ચૂક્યા છે.ઉમરસાડી દેસાઇવાડની હદમાં પારડી સ્ટેશન નજીક માછીવાડ રોડ પર આવેલી સાઈનાથ અને ગોકુલધામ એપાર્ટમેન્ટ દ્વારા ખુલ્લાં પ્લોટમાં કચરો ફેકવામાં આવતા ભારે ગંદકી ફેલાઈ છે આ સાથે ખાળકૂવાનું પાણી ખુલ્લાંમાં છોડતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. ખુલ્લાંમાં કચરો ફેકાતા દુગંધ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેનાથી રોગચાળો ફેલાવાની દહેશત છે.