જમ્મુ-કાશ્મીરની સીમા પર ભારતીય સેનાએ એક વખત ફરીથી પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દીધુ છે.મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડ્યા છે જેઓ ભારતમાં ઘુંસણખોરી કરવાનો કારસો રચી રહ્યા હતા.
ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ઘુસણખોરીના પ્રયત્નો થઇ રહ્યા છે.આ કોશિશને ભારતીય સેના સતત નિષ્ફળ કરી રહી છે અને કેટલાયે આતંકીઓને ઠાર કરી ચુકી છે.ઉરી સેક્ટરમાં છેલ્લા 5 દિવસમાં 4 આતંકીઓ ઠાર કરાયા છે જે સેનાની મોટી જીત છે.
18 સપ્ટેમબરથી ઉરીમાં સતત ઘુસણખોરીના પ્રયાસો થઇ રહ્યા છે. 23 સપ્ટેમ્બરે ત્રણ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે.ભારતીય સેનાના કેટલાક જવાનો ઇજાગ્રસ્ત થયા છે.ભારતીય સેનાના ઓફીસરો દ્વારા સતત જાણકારી આપવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ થાય તેવા પ્રયાસો સતત ચાલુ જ છે.પાકિસ્તાની સેના સતત કોઇને કોઇ રીતે ભારતને મુશ્કેલી પડે તેવા કામ કરી રહી છે.
પાકિસ્તાન ભડક્યુ
23 સપ્ટેમ્બરથી ભારતીય સેના અલગ અલગ ઓપરેશન કરી આતંકીઓનો સફાયો કરી રહી છે. સેનાનું કહેવુ છે કે આતંકી કેમ્પમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ સક્રિય થયા છે.પાકિસ્તાન સતત ઘુંસણખોરી કરવાના પ્રયત્નોમાં છે.ચિનાર કૉર્પ્સના GOC લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેનું કહેવુ છે કે તમામ પ્રયત્નો પછી પણ ભારતમાં આતંકીઓ ઘુસી નથી શક્યા.પાકિસ્તાન હાવ બૌખલાઇ ગયુ છે, હવે કાશ્મીરમાં શાંતિ છે જેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે.