By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉ.પ્રદેશ અને બિહારમાં આંધી સાથે ભારે વરસાદ : 29નાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉ.પ્રદેશ અને બિહારમાં આંધી સાથે ભારે વરસાદ : 29નાં મોત
GeneralNational

ઉ.પ્રદેશ અને બિહારમાં આંધી સાથે ભારે વરસાદ : 29નાં મોત

HM News
Last updated: 21/05/2022 6:30 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશમાં તાપમાનનો મિજાજ બદલ્યો છે.બિહારમાં અચાનક વરસાદ પડયો હતો અને આંધી ઉઠી હતી.બિહારના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ અને આંધીમાં ૨૮ લોકોનાં મોત થયા હતા. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા.ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં તેમ જ દિલ્હીમાં ગાજ-વીજ સાથે વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાં રાહત મળી છે.
બિહારના પટણા,ભાગલપુર,મુઝફ્ફરપુર,વૈશાલી,મુંગેર,જમુઈ,કટિહાર,કિશનગંજ,જહાનાબાદ,સારણ,નાલંદા જેવા જિલ્લાઓમાં વરસાદ પડયો હતો અને આંધી ઉઠી હતી.આ વરસાદી તોફાનમાં આ જિલ્લાઓમાં ૨૯ લોકોનાં મોત થયા હતા.આંધીમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.કેટલાય મકાનોને નુકસાન થયું હતું.રેલવે ટ્રેક અને અને વાહનોના માર્ગ પર વીજળીના તાર તેમ જ વૃક્ષો તૂટી જતાં ઘણાં રસ્તા બંધ થઈ ગયા હતા.ઘણી ટ્રેનને અટકાવવાની ફરજ પડી હતી.ઉ.પ્રદેશમાં પણ વરસાદને લગતી ઘટનાઓમાં જાનહાની થયાના અહેવાલો છે.
દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી છે,તેના કારણે દેશભરમાં તાપમાન નીચું આવશે.ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો ઉપરાંત દિલ્હીમાં ઝરમર વરસાદ પડયો હતો,તેના કારણે તાપમાનનો પારો નીચો આવ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી.દિલ્હીમાં અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી હતું,તો અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો ૨૮ ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. પાટનગરમાં વીક એન્ડમાં ધૂળની આંધી ઉઠે એવી પણ શક્યતા વ્યક્ત થઈ છે.જોકે,રાજસ્થાન,પંજાબ,મધ્યપ્રદેશ,ઉત્તર પ્રદેશના દક્ષિણના વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર રહ્યો હતો,તેના કારણે આસમાનમાંથી લૂ ઝરી હતી અને જનજીવન પરેશાન રહ્યું હતું.હવામાન વિભાગના કહેવા પ્રમાણે આસામ,મેઘાલય,સિક્કિમ,પશ્વિમ બંગાળ,હિમાચલ,અરૂણાચલથી લઈને રાજસ્થાન સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.દક્ષિણના રાજ્યોમાં વરસાદની આગાહી છે.કેરળમાં આવતા સપ્તાહના શરૂઆતે જ દક્ષિણ-પશ્વિમી ચોમાસાનું આગમન થઈ જશે.ચોમાસાના આગમનની સાથે જ દેશભરમાં ગરમીથી રાહત પણ મળશે. આંદામાન નિકોબાર નજીક તોફાન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી દેશભરના વાતાવરણમાં પલટો આવી શકે છે.દરમિયાન અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી મૃત્યુ આંક આઠ થઈ ગયો છે.અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં ભૂસ્ખલન થયું હતું.જેમાં એક પંજાબી રેસ્ટોરન્ટ તૂટી પડી હતી.તેના કાળમાળમાંથી મૃતદેહો મળ્યા હતા.

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવામાં ૫૦ જણને મળ્યું મોત
કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છતાં મહુવાના MLA મોહન ઢોડિયા કોરોનામાં સપડાયા
સુરતના સૌથી વ્યસ્ત એવા રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ 16 જૂનને બદલે 25 જુને ખુલ્લો મૂકાશે
ચીને કોરોના વાયરસનું વુહાનની લેબમાં નિર્માણ કર્યું : અમેરિકી ન્યૂઝ ચેનલનો સનસનીખેજ દાવો
સુપ્રીમે ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની ઓફલાઇન પરીક્ષાઓ રદ કરવાની માગ ફગાવી
Share This Article
Facebook Email Print
Previous Article NSEમાં કો-લોકેશનના દુરૂપયોગ મામલે દિલ્હી, મુંબઈ, કોલકાતાના અનેક બ્રોકર્સના ત્યાં દરોડા
Next Article દિલ્હી-NCRમાં વરસાદનું આગમન, સંરક્ષણ મંત્રીની ફ્લાઈટ સહિત 11 વિમાન ડાયવર્ટ કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up