મહેસાણા : જિલ્લાના ઉંઝા તાલુકા માં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા તંત્રની રહેમ હેઠળ સસ્તા અનાજને વેચી મારવાનું કૌભાંડ ચાલતું હતું.આ કૌભાંડમાં અનેક કર્મચારીઓની મિલીભગત હતી જેને ઊંઝાના જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ રાઠોડ અને તેમની ટીમે રવિવારે ઊંઝાના કહોડા ગામ પાસે આવેલી પારસ ફ્લોર ફેક્ટરીમાંથી ઝડપી પાડયું હતું.જોકે આ કૌભાંડના સમાચાર ગાંધીનગર પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા સુધી પહોંચતા તેમને તરત જ કડક તપાસના આદેશો આપી પુરવઠા વિભાગની એક તપાસ સમિતિ નીમી હતી ત્યારે આ સમિતિ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થતા હજુ પણ કેટલાક કાળાબજારિયાઓના નામ ખૂલવાની શક્યતા દેખાઈ રહી છે.
જોકે આ અનાજ કૌભાંડમાં સૌથી મોટો સવાલ નિયત નો છે.જે કામ પુરવઠા મામલતદાર દ્વારા થવું જોઈએ એ કામ ઊંઝાના જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટરે lockdown માં કરી બતાવ્યું છે.જોકે ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર ખૂબ જ સક્રિય છે.તેમણે lockdown માં પણ કડક હાથે કામગીરી કરી છે જેથી ઊંઝા તાલુકામાં કોરોના ના માત્ર એક કે બે જ કેસ હજુ સુધી નોંધાયા છે.આમ ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર ની કામગીરી પ્રશંશા પાત્ર પાત્ર છે પરંતુ પુરવઠા મામલતદારની નિયતમાં મોટી ખોટ જણાય છે કારણકે જો પુરવઠા મામલતદારની મીલીભગત ન હોય તો ગોડાઉન મેનેજર અને અન્ય કર્મચારીઓ અનાજ વેચી મારવાની હિંમત સુદ્ધાં ન કરી શકે.
પણ જ્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પુરવઠા મામલતદારને આ સસ્તા અનાજની ચોરી કૌભાંડ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યું હતું કે આમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી ત્યારે આ અંગે પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા નો સંપર્ક સાધતાં જાણવા મળ્યું હતું કે આગામી સમયમાં ઊંઝાના પુરવઠા મામલતદાર અને સંડોવાયેલ અન્ય અધિકારીઓ,કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ થઈ શકે છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે.એક પણ કૌભાંડીઓને નહીં છોડવામાં આવે તેમ પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું. મહેસાણા ડી એસ ઓ ની આગેવાની હેઠળ હાલમાં તપાસ સમિતિ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે આ ઘટનામાં કોઈપણ પ્રકારનું ભીનું ના સંકેલાઇ જાય તે જોવું રહ્યું !