[weather_data]
Breaking News
TRENDING NEWS

એકનાથ શિંદેને મળી પંઢરપુરમાં પગ ન મૂકવા દેવાની ચેતવણી

[updated_date] [post_views]

Table of Content

મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર આવી અણધારી ઘટના બની છે.આલંદીમાં સંત જ્ઞાનેશ્વરના પાલખી પ્રસ્થાન કાર્યક્રમના પ્રથમ દિવસે મંદિરમાં પ્રવેશને લઈને મોટો વિવાદ સર્જાયો હતો.આ સમયે પોલીસે અનેક શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા.સંબંધિત ઘટના 12 જૂને બની હતી.પાલખી વિધિનો પ્રથમ દિવસ હતો, પરંતુ પહેલા જ દિવસે પાલખી સમારોહમાં મુશ્કેલી આવી હતી.આ ઘટના ત્યારે બની જ્યારે સંત જ્ઞાનેશ્વર મહારાજની પાલખી પંઢરપુર તરફ પ્રયાણ કરી રહી હતી.હવે આ ઘટના પરથી રાજકારણ ગરમાયું છે.વિપક્ષે વારકરી પર લાઠીચાર્જ કરવાનો આરોપ લગાવ્યો છે.ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ આરોપને નકારી કાઢ્યો છે.

બીજી તરફ આલંદીમાં બનેલી ઘટનાનો વધુ એક વીડિયો પોલીસે જાહેર કર્યો છે.કેટલાક કામદારોનો આરોપ છે કે તેમને એક રૂમમાં રાખવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હતી.આ તમામ ઘટનાઓની મહારાષ્ટ્રના રાજકારણમાં જોરદાર અસર જોવા મળી રહી છે.સંભાજી બ્રિગેડે માગ કરી છે કે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંબંધિત ઘટના અંગે માફી માગવી જોઈએ.તેમજ સંભાજી બ્રિગેડ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ માફી નહીં માગે તો તેઓ મુખ્યપ્રધાન એકનાથ શિંદેને પંઢરપુરમાં પગ મૂકવા દેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles