By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એક ઝાટકે પાકિસ્તાનના બે કટકાં કરી નાખનાર જનરલ સૈમ માણેકશૉનો આજે જન્મદિવસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એક ઝાટકે પાકિસ્તાનના બે કટકાં કરી નાખનાર જનરલ સૈમ માણેકશૉનો આજે જન્મદિવસ
GeneralNational

એક ઝાટકે પાકિસ્તાનના બે કટકાં કરી નાખનાર જનરલ સૈમ માણેકશૉનો આજે જન્મદિવસ

HM News
Last updated: 03/04/2021 7:31 AM
HM News
4 years ago
Share
SHARE

નવીદિલ્હી, તા.3 : 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું એ યુદ્ધ.તેના બે વર્ષ પહેલાં જ ચીન સામે મળેલી હાર બાદ ભારતીય સેનાનું મનોબળ થોડું નબળું પડી ગયું હતું પરંતુ 1971ના યુદ્ધમાં ભારતીય સેનાએ જે કારનામું કર્યું હતું તે આજે પણ ઈતિહાસમાં નોંધાયેલું છે. 3 ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલો કર્યો હતો.ભારતે હુમલાનો એટલો જોરદાર જવાબ આપ્યો કે 13 દિવસમાં જ પાકિસ્તાની સેનાએ હથિયાર હેઠા મુકી દીધા હતા.પાકિસ્તાનના 90 હજારથી વધુ સૈનિકોએ આત્મ સમર્પણ કરી દીધું હતું.કહેવાય છે કે આ એકમાત્ર એવું યુદ્ધ હતું જેમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં સૈનિકોએ હથિયાર મુક્યા હતા.યુદ્ધમાં પાકિસ્તાને જાન-માલ સાથે જ જમીનથી પણ હાથ ધોવા પડ્યા હતા અને એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

ભારતીય સેનાની આ શૌર્યગાથાનો શ્રેય જે જનરલને જાય છે તે બીજું કોઈ નહીં પરંતુ સૈમ માણેકશૉ છે.સૈમનો જન્મ 3 એપ્રિલ-1913માં અમૃતસરમાં થયો હતો.સૈમના પિતા ડોક્ટર હતા અને સૈમ પોતે પણ ડોક્ટર બનવા માંગતા હતા.તબીબના ભણથર માટે તેઓ ઈંગ્લેન્ડ જવા માંગતા હતા પરંતુ પિતા માન્યા નહોતા.આ પછી તેમણે પિતાથી નારાજ થઈને સૈન્ય ભરતીની પરીક્ષા આપી હતી.

1971માં તત્કલિન વડાપ્રધાન ઈન્દીરા ગાંધી ઈચ્છતા હતા કે એપ્રિલમાં જ સેના પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશ ઉપર હુમલો કરી દે પરંતુ સૈમે સાફ ઈનકાર કરી દીધો હતો. સૈમને ઈન્દીરા ગાંધીએ કહ્યું કે શું તમે યુદ્ધ હારવા માંગો છો ? સૈમના આ સવાલથી ઈન્દીરા શમશમી ગયા હતા.સૈમે ઈન્દીરા પાસે યુદ્ધની તૈયારી માટે સમય માંગ્યો હતો.સમય મળ્યા બાદ સૈમે સેનાને તાલીમબદ્ધ કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.બીજા વિશ્ર્વયુદ્ધ સમયે ભારત અંગ્રેજોનું ગુલામ હતું.એ સમયે ભારતીય જવાન બ્રિટિશ સેના માટે લડતા હતા.માનેશો પણ બર્મામાં જાપાની આર્મી વિરુદ્ધ જંગના મેદાનમાં હતા.યુદ્ધ દરમિયાન તેમના શરીરમાં સાત ગોળીઓ લાગી હતી જેથી તેમના જીવિત રહેવાની સંભાવના ઓછી હતી પરંતુ ડોક્ટરોએ સમયસર તમામ ગોળીઓ કાઢી લેતાં માણેકશો બચી ગયા હતા.

આદિ શંકરાચાર્યજીનો જન્મોત્સવ : દ્વારકા શારદાપીઠમાં કોરોનામુકિત માટે પ્રાર્થના
પંજાબમાં ગુનેગારો પર કડક કાર્યવાહી, 7 હત્યાનુ કાવતરુ ઘડનારા 11 ગેંગસ્ટરની ધરપકડ
દાઉદ ગેંગના ઈકબાલ મિર્ચી સાથે વ્યવહારોના કેસમાં પ્રફુલ્લ પટેલની મુંબઈની પ્રોપર્ટી ED દ્વારા જપ્ત
IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોનું સ્થાન તાતા ગ્રુપે લીધું
દરિયામાં ક્રેશ થયુ હેલિકોપ્ટર,મંત્રીએ 12 કલાક તરીને જીવ બચાવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article મોહન ડેલકર આપઘાત કેસ દબાવવામાં ભાજપના નેતા મેદાનમાં ઉતર્યા છે : કોંગ્રેસ
Next Article મૈકસિકોમાં ડ્રગ માફીયો વચ્ચે ઝડપ થતાં આઠનાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up