નવીદિલ્હી, તા.3 : 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું એ યુદ્ધ.તેના બે વર્ષ પહેલાં જ ચીન સામે મળેલી હાર બાદ ભારતીય સેનાનું મનોબળ થોડું નબળું પડી ગયું હતું પરંતુ 1971ના યુદ્ધમાં ભારતીય સેનાએ જે કારનામું કર્યું હતું તે આજે પણ ઈતિહાસમાં નોંધાયેલું છે. 3 ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલો કર્યો હતો.ભારતે હુમલાનો એટલો જોરદાર જવાબ આપ્યો કે 13 દિવસમાં જ પાકિસ્તાની સેનાએ હથિયાર હેઠા મુકી દીધા હતા.પાકિસ્તાનના 90 હજારથી વધુ સૈનિકોએ આત્મ સમર્પણ કરી દીધું હતું.કહેવાય છે કે આ એકમાત્ર એવું યુદ્ધ હતું જેમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં સૈનિકોએ હથિયાર મુક્યા હતા.યુદ્ધમાં પાકિસ્તાને જાન-માલ સાથે જ જમીનથી પણ હાથ ધોવા પડ્યા હતા અને એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો જન્મ થયો હતો.
ભારતીય સેનાની આ શૌર્યગાથાનો શ્રેય જે જનરલને જાય છે તે બીજું કોઈ નહીં પરંતુ સૈમ માણેકશૉ છે.સૈમનો જન્મ 3 એપ્રિલ-1913માં અમૃતસરમાં થયો હતો.સૈમના પિતા ડોક્ટર હતા અને સૈમ પોતે પણ ડોક્ટર બનવા માંગતા હતા.તબીબના ભણથર માટે તેઓ ઈંગ્લેન્ડ જવા માંગતા હતા પરંતુ પિતા માન્યા નહોતા.આ પછી તેમણે પિતાથી નારાજ થઈને સૈન્ય ભરતીની પરીક્ષા આપી હતી.
1971માં તત્કલિન વડાપ્રધાન ઈન્દીરા ગાંધી ઈચ્છતા હતા કે એપ્રિલમાં જ સેના પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશ ઉપર હુમલો કરી દે પરંતુ સૈમે સાફ ઈનકાર કરી દીધો હતો. સૈમને ઈન્દીરા ગાંધીએ કહ્યું કે શું તમે યુદ્ધ હારવા માંગો છો ? સૈમના આ સવાલથી ઈન્દીરા શમશમી ગયા હતા.સૈમે ઈન્દીરા પાસે યુદ્ધની તૈયારી માટે સમય માંગ્યો હતો.સમય મળ્યા બાદ સૈમે સેનાને તાલીમબદ્ધ કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.બીજા વિશ્ર્વયુદ્ધ સમયે ભારત અંગ્રેજોનું ગુલામ હતું.એ સમયે ભારતીય જવાન બ્રિટિશ સેના માટે લડતા હતા.માનેશો પણ બર્મામાં જાપાની આર્મી વિરુદ્ધ જંગના મેદાનમાં હતા.યુદ્ધ દરમિયાન તેમના શરીરમાં સાત ગોળીઓ લાગી હતી જેથી તેમના જીવિત રહેવાની સંભાવના ઓછી હતી પરંતુ ડોક્ટરોએ સમયસર તમામ ગોળીઓ કાઢી લેતાં માણેકશો બચી ગયા હતા.