એક ફિલ્મ આવી હતી મૈં હૂં ના, તે જ રીતે અમે છીએ : ઉદ્ધવ ઠાકરે

HM News
2 Min Read
Pc : ANI

વિપક્ષી દળોની બેઠક ખતમ થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેશ જ અમારો પરિવાર છે.આથી અમે પરિવારને બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ.એક પાર્ટી કે વ્યક્તિ દેશ ન હોઈ શકે.વિપક્ષી દળોની બેઠક ખતમ થયા બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના (યૂબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાનું સંબોધન આપ્યું.તેમણે કહ્યું કે અમારી બીજી મીટિંગ થઈ છે.તમે જોયું હશે કે તાનાશાહી વિરુદ્ધ જનતા એકઠી થઈ રહી છે.મલ્લિકાર્જુન ખડગેએ અલાયન્સનું નામ (INDIA) જણાવ્યું. કેટલાક લોકોએ કહ્યું કે અમે પરિવાર માટે લડી રહ્યા છીએ…અમે પરિવાર માટે લડી રહ્યા છીએ કારણકે દેશ જ અમારો પરિવાર છે.આ પરિવારને અમારે બચાવવાનો છે. કેટલાક લોકો કહે છે કે તેમની વિચારધારા અલગ-અલગ છે, આ જ તો પ્રજાતંત્ર છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અલગ-અલગ વિચારધારાઓ ધરાવતા હોવા છતાં પણ અમે સાથે આવ્યા કારણકે આ લડાઈ અમારી પાર્ટીની નથી.કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી વિરુદ્ધ અમારી લડાઈ નથી પણ તાનાશાહી અને નીતિ વિરુદ્ધ અમારી લડાઈ છે.એક જમાનામાં આઝાદી માટે લડાઈ થઈ હતી હવે આઝાદી ફરી જોખમમાં છે.આઝાદી માટે અમે બધા સાથે આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે અમે સફળ થઈ જશું.

પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, દેશની જનતાના મનમાં એક ડર છે કે હવે આગળ શું થશે.દેશની જનતાને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે ડરો નહીં અમે છીએ.જેમ એક ફિલ્મ આવી હતી ને `મૈં હૂં ના…` તે જ રીતે અમે છીએ ને.. આથી ડરો નહીં.તેમણે કહ્યું કે એક વ્યક્તિ કે પાર્ટી દેશ હોઈ શકે નહીં.અમે અમારા દેશને સુરક્ષિત રાખીશું. આગામી મીટિંગ અમે મુંબઈમાં કરીશું.

નોંધનીય છે કે શિવસેના (યૂબીટી) બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેના ગયા વર્ષે જૂનમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારા સભ્યોનો એક મોટો ભાગ બીજેપી સાથે હાથ મિલાવવા માટે વિભાજિત થઈ ગઈ હતી. 2019ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ,ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ બીજેપી સાથે પોતાના સંબંધ તોડી નાખ્યા હતા અને મહાવિકાસ આઘાડી સરકાર બનાવવા માટે એનસીપી અને કૉંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો હતો.શિંદેના બળવા બાદ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને એમવીએની સરકાર પડી ગઈ હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *