નવી દિલ્હી, 20 એપ્રિલ 2022, બુધવાર : પંજાબમાં થયેલો એક દર્દનાક રોડ અકસ્માતમં રાજસ્થાનના સીકરમં રહેનારા એક પરિવારના 7 લોકોના મોત થયા છે.સીકરમાં રહેનારા ડૉક્ટર સતીશ પૂનિયાના પરિવારમાં 7 લોકોનું મોત થતા જાણે આભ તૂટી પડ્યુ હતુ.મંગળવારે સાંજે અકસ્માતનો ભોગ બનેલા ડૉક્ટર, તેમની પત્ની અને પુત્રના મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવ્યા હતા.યુવકનો મૃતદેહ આવતા જ પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.આ પરિવાર મનાલીના પ્રવાસ માટે નીકળ્યો હતો.આ પૂરો પરિવાર રોપડમાં ભીષણ દુર્ઘટનાનો શિકાર થઇ ગયો.આ અકસ્માતમાં પતિ પત્ની સિવાય તેમનો પુત્ર દક્ષ અને પુત્રી રાજવી, જીજાઇ રાજેશ અને તેમની પત્ની અને દિકરી રાજશ્રીનું અકસ્માતમાં નિધન થયુ છે.અકસ્માતના સમાચાર સાંભળીને ડો.સતીશની માતા રડી-રડીને બેભાન થઈ ગઈ હતી.
ડોક્ટર અને તેમની બહેનનો પરિવાર હિમાચલથી પરત ફરતી વખતે પંજાબમાં અકસ્માતનો ભોગ બન્યો હતો.મંગળવારે ડૉક્ટર સતીશ કુમાર પુનિયા, તેમની પત્ની સરિતા અને પુત્ર દક્ષાના મૃત દેહને મૂળ ગામ ઠીકરિયા લાવવામાં આવ્યા હતા.ડોક્ટરનો મોટો ભાઈ પંજાબથી મૃતદેહ લઈને આવ્યો હતો.ડૉ. સતીશ સીકરના રિંગસ સીએચસીમાં ઓર્થોપેડિસ્ટ હતા.ડોક્ટરનો મોટો ભાઈ મૃતદેહ લઈને પંજાબથી ઘરે પહોંચ્યો હતો.બધાને એમ્બ્યુલન્સમાંથી ઉતારીને ઘરના આંગણામાં રાખવામાં આવ્યા હતા.પોતાના બાળકોને આ હાલતમાં જોઈને પિતા આઘાતમાં ચૂપ થઈ ગયા.મંગળવારે ડૉક્ટર સતીશ પૂનિયા તેમની પત્ની અને દિકરાનો એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.