– એન્ટિલિયા વિસ્ફોટક,મનસુખ હિરેણ હત્યા કેસ
– માજી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની અપીલમાં હાલ રાહત નકારી
મુંબઈ : એન્ટિલિયા વિસ્ફોટક અને બિઝનેસમેન મનસુખ હિરેણ હત્યા કેસ સંબંધે પકડાયેલા ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન માટે નવેસરથી અરજી કરવા જણાવ્યું છે.વેકેશન બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કરેલી રજૂઆતની નોંધ લીધી હતી. શર્માએ ઈન્ટરલોક્યુટરી અરજી કર્યા વિના વચગાળાના જામીન માગ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.શર્માની પત્નીને સર્જરી બાદ ગંભીર સમસ્યા નિર્માણ થઈ હોવાથી માનવતાના ધોરણે વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી હોવાનું શર્માના વકિલે જણાવ્યું હતું.એએસજીએ આનો વિરોધ કરીને જણાવ્યું હતું કે શર્માની પત્ની હોસ્પિટલમા ંતેને વારંવાર મળે છે.વધુ સુનાવણી પાંચ જૂન પર રખાઈ છે.
સુપ્રીમ કોર્ટે ૧૮ મેના રોજ શર્માએ હાઈ કોર્ટના આદેશ સામે કરેલી અપીલ પર નોટિસ મોકલી હતી.હાઈકોર્ટે જે રીતે એનઆઈએએ કેસની તપાસ કરી છે તેના પર રોષ વ્યક્ત કર્યો હતો અને શર્માને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.તપાસમા સહકાવતરાખોરો પ્રત્યે કંઈ કહેવામાં આવ્યું નથી.
શર્માની ધરપકડ જૂન ૨૦૨૧માં કરાઈ હતી અને હાલ અદાલતી કસ્ટડીમાં છે.ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલું વાહન મળી આવ્યું હતું વાહનના માલિક હિરેણનો મતદેહ થોડા દિવસ બાદ થાણેની ખાડીમાંથી મળ્યો હતો.