નવી દિલ્હી તા.21 : નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી એર ઈન્ડીયા કંપની પાસે ટીડીએસ અને કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ જમા કરાવવાના પૈસા પણ નથી. સૂત્રો અનુસાર,કંપનીએ ટીડીએસ અને પીએફની ચૂકવણી કરવામાં નાદારી નોંધાવી છે.સરકાર એર ઈન્ડીયાને વેચવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી.
એર ઈન્ડીયાએ એક ઈ-મેઈલમાં જણાવ્યું છે કે, ‘એર ઈન્ડિયાએ અગાઉ જ ડીટીએસની ચૂકવણી કરી દીધી છે. ફોર્મ 16ના ડીસ્ટ્રીબ્યુશનની પ્રક્રિયા ચાલી રહી છે.’ જો કે સરકારી અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, ‘એર ઈન્ડીયાએ આ વર્ષે જાન્યુઆરીથી ટીડીએસ અને પીએફની ચૂકવણી કરી નથી,માર્ચના અંત સુધી કંપની પર ટીડીએચના 26 કરોડ રૂપિયા બાકી છે.બાકી પીએફની રકમ પણ કરોડોમાં છે.’