અમદાવાદતા : 30 મે 2022,સોમવાર : ઓઢવ વિસ્તારમાં પ્રદુષણની સમસ્યા વકરી છે,ઔદ્યોગિક એકમો દ્વારા સતત છોડાતો ધુમાડો,ઉડતી રજકણોના કારણે લોકોના મકાનો પર કાળા રંગની ધુળ જામી જાય છે.સોમવારે સવારે પણ જીઆઇડીસી હાઉસિંગ કોલોનીમાં આ સમસ્યા જોવા મળી હતી.ઓઢવમાં અનેક કેમિકલ એકમો આવેલા છે,પ્લાસ્ટિકના કારખાના,વાસણો બનાવવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પ્રદુષણ નિયંત્રણ માટે જે પગલા લેવાવા જોઇએ તે લેવામાં આવી રહ્યા નથી.જનઆરોગ્યની ચિંતા કર્યા વગર જ આડેધડ ધુમાડા,ગેસ હવામાં છોડાઇ રહ્યા છે.કેમિકલયુક્ત પાણી સીધું ગટરોમાં વહેવડાવી દેવામાં આવે છે.સમગ્ર ઓઢવ વિસ્તારનો આ પ્રશ્ન છે.
છોટાલાલની ચાલી,ભિક્ષૃક ગૃહ,સીએમસી,સોનીની ચાલી,અંબિકાનગર,અર્બુદાનગર,કરશનનગર રબારી વસાહત,તક્ષશીલા રોડ,પ્રિયદર્શન સોસાયટી,આદીનાથનગર સહિતના આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો પ્રદુષણથી ત્રસ્ત છે.રહીશોની માંગણી છેકે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણની માત્રા ચેક કરવા માટે સાધનો મુકવા જોઇએ,પ્રદુષણ નિયંત્રણના ભંગ બદલ પગલા લેવાવા જોઇએ,લોકો શ્વસનતંત્ર,ચામડીને લગતી બીમારીઓનો ભોગ બન્યા છે.સ્થાનિક રહીશોની વાતો સાંભળીને પ્રદુષણ ઘટાડવા પગલે લેવાવા જોઇએ તેવી માંગણી ઉઠી છે.


