By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઓલપાડ કોંગ્રેસના બાહુબલી ઉમેદવાર દર્શન નાયકનો પ્રચાર કરવા શંકરસિંહ વાઘેલાએ જંગી સભા સંબોધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ઓલપાડ કોંગ્રેસના બાહુબલી ઉમેદવાર દર્શન નાયકનો પ્રચાર કરવા શંકરસિંહ વાઘેલાએ જંગી સભા સંબોધી
GeneralPoliticsSurat

ઓલપાડ કોંગ્રેસના બાહુબલી ઉમેદવાર દર્શન નાયકનો પ્રચાર કરવા શંકરસિંહ વાઘેલાએ જંગી સભા સંબોધી

HM News
Last updated: 29/11/2022 11:44 AM
HM News
3 years ago
Share
SHARE

– છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે, ગુજરાતમાં ૫૦ લાખ લોકો બેકાર છે : બાપુ

સુરત.તા.29 : બાપુએ કર્યો કોંગ્રેસનો પ્રચાર.. જી…હા, ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરતના ઓલપાડ પહોંચ્યા હતા. ૧૫૫-ઓલપાડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક ના પ્રચાર અર્થે બાપુ ઓલપાડ પહોંચ્યા હતા.તેમણે મોડી સાંજે કીમ ખાતે જાહેર સભા સંબોધી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

સભાની શરૂઆતમાં ગાંધીવાદી અને કોંગ્રેસના પ્રખર કાર્યકર ઉત્તમભાઇ પરમાર,એડવોકેટ એન્ડ નોટરી રાજુભાઇ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરી કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને જંગી બહુમતીથી જીતાડી લાવવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે ૧૫૫-ઓલપાડ બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું કે, છેલ્લા ૩૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ હોવા છતાં શિક્ષિત યુવાનો આજે પણ બેરોજગાર છે.તેમણે સહકારી અને ખેડૂત આગેવાન સ્વ.પ્રમોદકાકા,હિતેન્દ્ર દેસાઇ,સ્વ.મગનકાકા જેવા લોકોએ સામાજિક એકતાનું કામ કર્યું છે. ૧૬ મહિનાના કોન્ટ્રાકટ હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા કીમ ઓવરબ્રિજ આજે પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન ને કારણે અધૂરો છે.વીજ સમસ્યાઓથી આ વિસ્તાર ની જનતા ભોગ બની રહી છે.

શંકરસિંહ વાઘેલાએ સભામાં ઉપસ્થિત જંગી જનમેદની ને સંબોધતા જણાવ્યું કે, ભાજપનો વિરોધ કરવા અને કોંગ્રેસ નો પ્રચાર કરવા આવ્યો છું.છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ૫૦ લાખ લોકો બેકાર હોવાનું પણ બાપુ એ જણાવ્યું હતું.આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ની સરકાર બનશે એવો પણ તેમણે દાવો કર્યો હતો.આ પ્રસંગે બાપુએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે,પ્રજા મોંઘવારી અને બેકારીથી ત્રાસી ગઇ છે.વહીવટ જેવું કંઇ લાગતું નથી.દિલ્હીથી બે લોકો સરકાર ચલાવે છે,એ મંજૂર નથી.મતદારોને વિનંતી કરવા આવ્યો છું કે, તા.૧લી અને ૫મી ડિસેમ્બર ના રોજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી કોંગ્રેસ ની સરકાર બનાવવામાં મદદરૂપ થવા મતદારો ને અપીલ કરૂં છું.

અમેરિકાની સેનાએ સીરિયામાં ઈરાન સમર્થિત MILITIA ના અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઈક, અનેક ઠેકાણે થયા હવાઈ હુમલા
પરપ્રાંતીય ગરીબ શ્રમિકોને લુંટનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચ્યો : વીડિયો થયો હતો વાયરલ
છૂટાછેડા લીધા વિના પરપુરુષ સાથે રહેતી સ્ત્રી તેનું સંતાન પોતાની પાસે રાખી શકે છે : અલાહાબાદ હાઈકોર્ટ
રાજકોટ DGFTના જોઇન્ટ ડિરેક્ટરનો આપઘાત : CBI રેડમાં 5 લાખની લાંચ લેતા પકડાયેલા
ગુજરાતમાં મફત વીજળીની માગ સાથે આપનું 15 જૂનથી આંદોલન
Share This Article
Facebook Email Print
Previous Article વ્યક્તિગત લોકચાહનાના શિખરે બિરાજમાન ઓલપાડ કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક
Next Article ભાજપના પોસ્ટર બોય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો ડેડીયાપાડામાં રોડ શો, હિતેશ વસાવાને જીતાડવાની અપીલ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up