ઓહ ગોડ ! બીમાર માસૂમ પુત્રને લઈને દોડતા પિતાની મદદે કોઈ ન આવ્યુ : પુત્રનુ મોત

HM News
2 Min Read

– પિતા બીમાર માસૂમ પુત્રને લઈને 1 કિમી દોડ્યા

સુરત : સુરતના ઉમરવાડા વિસ્તારનો શ્રમજીવી હાથમાં બીમાર બાળકને લઈ એક કિલોમીટર સુધી દોડ્યો પણ એકેય લોકોએ માનવતા ન દાખવી હોવાનો શરમજનક કિસ્સો બનવા પામ્યો છે.ઝાડ ઊલટીમાં સપડાયેલા પુત્રને સારવાર અપાવવા માટે હાથમાં ઊંચકીને દોડતા લાચાર પિતાને લોકો જોતા રહ્યા પણ કોઈ મદદે ન આવ્યુ.

હૈયાફાટ રુદન કરતા રજત સહાની (પીડિત પિતા)એ જણાવ્યું હતું કે, અમે બિહારવાસી છ વર્ષથી પરિવાર એટલે કે પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરતા આવ્યા છે.મારો મોટો પુત્ર 3 વર્ષીય મનીષકુમારની આજે સવારે અચાનક તબિયત બગડતાં હું તેને લઈ હોસ્પિટલ આવવા રિક્ષાચાલકોને હાથ ઊંચો કરતો રહ્યો,પણ કોઈ ઊભી ના રહી અને જે ઊભા રહ્યા તેમને ઝાડા-ઊલટી હો રહા હૈ, મેરે માસૂમ બેટે કો હોસ્પિટલ તક છોડ દો કહેતાં જ ભાગી જતા હતા.હું કિન્નરી સુધી એક કિલોમીટર કહી શકાય ત્યાં સુધી માસૂમ બીમાર પુત્રને હાથમાં ઊંચકીને દોડતો રહ્યો,પણ કોઈને માનવતા યાદ ન આવી,લોકો જોતા હતા પણ શું થયું એ પૂછતા પણ ગભરાતા હોય એમ લાગતું હતું.

કિન્નરી સીનેમાથી હું નજીકની ખાનગી હોસ્પિટલ પહોંચ્યો,ત્યાંથી મને સિવિલ જવાનું કહેવાતાં હું માસૂમ બાળકને રિક્ષામાં લઈ સિવિલ આવ્યો તો ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.ત્રણ દિવસથી મનીષકુમાર બીમાર હતો.સ્થાનિક ડોક્ટરની દવા લેતા રાહત થતી હતી.રાત્રે ઝાડા-ઊલટી થતાં મેં દવા આપી હતી, પણ સવારે અચાનક ઝાડા-ઊલટી બાદ અશક્ત થઈ જતાં હોસ્પિટલ દોડ્યા હતા.જો કોઈ મદદ મળી ગઈ હોત તો મારું બાળક બચી ગયું હોત,એવી એક પિતાએ વ્યથા વ્યક્ત કરી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *