કચ્છ ભાજપમાં આંતરિક જુથવાથ હોય તેવું સામે આવી રહ્યું છે.કચ્છ ભાજપના નામે વધુ એક પત્ર વાયરલ થયો છે જેમાં મોટા નેતાના નામનો ઉલ્લેખ કરાયો છે.આ પત્ર ભાજપના હિતેચ્છુઓના નામ વાયરલ કરવામાં આવ્યો છે જેમાં કચ્છમાં બનેલી નલિયા કાંડ,જયંતિ ભાનુસાલી હત્યા કાંડ જે હત્યાકાંડ સુધી પહોંચ્યો તેનો અને ભાજપમાં ચાલતી આંતરીક જુથબંધીનો ઉલ્લેખ કરાયો છે.
કચ્છ થોડા દિવસો પહેલાં જ ભાજપના એક મોટા નેતાનો વિવાદિત વીડિયો સામે આવ્યો હતો જેમાં પક્ષના કોઈ સભ્યની કૌડુંબિક દિકરી સાથે રંગહાથ ઝડપાયા હતા જે મામલે ભાજપના મોટા નેતાઓએ પણ મૌન સેવ્યું હતું.હવે ફરી કચ્છના મોટા ગજાના નેતાના નામ સાથે પત્ર વાયરલ કરાયો છે.સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.મહત્વનું છે, આ પત્ર વડાપ્રધાન મોદી, અને ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને લખવામાં આવ્યો છે.હવે જોવાનું રહે છે કે, વાયરલ કરવામાં આવેલા પત્ર બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.