પલસાણા : પલસાણા તાલુકાનું કડોદરા ગ્રામપંચાયત માંથી નગર પાલીકા અસ્તીત્વમાં આવ્યા બાદ નગરની આકારણી એરીયા આધારે કરવાની હોવાની જોગવાય છે,તેમ છતા પાલિકા દ્વારા ગ્રામ પંચાયતના સમયમાં મુડી રૂપી કીમતને આધારે કરવામાં આવેલ આકારણીને લઇ મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન ગાંધીનગરના કમીશ્નર રાજકુમાર બેનીવાલ દ્વારા કડોદરા પાલીકાને ફટકાર લગાવી છે અને નગર પાલીકા જ્યારથી અસ્તીત્વમાં આવી છે.ત્યારથી આકારણી અધીનીયમ અનુસાર એરીયાબેજ આકારણી કરવા માટે હુકમ કરવામાં આવતા સામી ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ છે
મળતી માહિતી અનુસાર કડોદરા ગ્રામ પંચાયત 2015 ની સાલમાં નગર પાલીક તરીકે અસ્તીત્વમાં આવી ત્યારથી ગુજરાત નગર પાલીકા અધીનીયમ ૧૯૬૩ ની જોગવાઇઓ લાગુ પડતી હતી તેમ છતા પાલિકા દ્વારા પંચાયત અધીનીયમ ની જોગવાઇ અનુસાર મિલકતોની આકારણી કરવામાં આવતી હતી.જેથી આ અંગે કડોદરા નગર કડોદરા નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રભાઇ ઝાપટીયા દ્વારા અધીનીયમ ૧૯૬૩ ની કમલ ૨૫૮ ( ૧ ) હેઠળ નગર પાલીકામાં ૨૦૧૫ પછી કરવામાં આવેલ ઠરાવ ગેરલાયક જાહેર કરવા અને કમલ ૯૯ ( ક ) અનુસાર એરીયા બેઇજ આધારે આકારણી કરવા અંગે પ્રાદેશીક કમિશ્નરની કચેરીએ દાદ માગેલ હતી.પ્રાદેશીક કચેરીએ દેવેન્દ્રભાઇની અરજીને દાક્તરે કરી હતી.જેથી તેમણે ઉપલી કોર્ટ મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન કમીશ્નર રાજકુમાર બેનીવાલમાં દાદ માંગી હતી.જ્યાં કડોદરા નગર પાલીકા દ્વારા એરીયા બેઇજ આધારે આકરણી કરવાની હતી.ત્યાં પાલીકા દ્વારા કેપીટલ વેલ્યુ આધારે કરવામાં આવેલ આકાણીને ગેરકાયદેસર ગણી હતી અને ગુજરાત નગર પાલીકા અધીનીયમ ૧૯૬૩ ની કલમ ૯૯ ( ક ) અનુસાર કાર્પેટ એરીયા આધારે તેમજ શહેરી વિકાસ વિભાગના 11/ 04/2008 ના નીયમો અનુસાર મિલકતોની આકરણી કરવાની રહેતી હોવા છતા તેનો અમલ નાયલે હોવાનું જણાવ્યું હતું ,અને જ્યારથી પાલીકા અસ્તીત્વમાં આવી તે તારીખથી કાર્પેટ એરીયા આધારે મિલકત વેરાની આકારણી કરવાનું જણાવ્યુ હતુ.આમ કડોદરા નગર પાલીકાને આકારણી મુદ્દે ફટકાર લગાવતા કડોદરા નગરમાં ફરી આકરણી રીવાઇઝ કરવામાં આવશે અને હાલ ચૂંટણી ટાણે વિપક્ષને પણ મુદો મળી જતા કડોદરાનું રાજકારણ ગરમાયુ હોવાનું જાણવા મળ્યું હતું.
પાલીકાના એક કર્મચારીની પણ ભરતી રદ કરી
કડોદરા નગર પાલીકામાં થોડા વર્ષો અગાઉ એક કર્મચારીને લાયકાત વગર તેમને આપવામાં આવેલ એમ.આઇ.એસ એક્સપર્ટની જગ્યા માટે નીમણુક કરાઇ હતી.તે પણ યોગ્ય નહોવાથી મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનદ્વારા તેમની ભરતી પણ રદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.
ચુકાદો ઓફિસિયલી હજુ સુધી અમારી પાસે આવ્યો નથી
આ ચુકાદો ઓફીસીયલી હજુ સુધી અમારી પાસે આવ્યો નથી પરંતુ હુકમ જોતા આકારણી રીવાઇજ કરવા માટે જણાવ્યું છે.તે માટે આવનારા દિવસોમાં આકારણી રિવાઇઝ કરવા માટે આઉટ સોસીંગ ઉપર કર્મચારીઓને લઇ એરીયા વાઇઝ આકરણી કરવામાં આવશે .