બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે રહેતા એક પરપ્રાંતિય લેબર ઇન્ચાર્જની અઠવાડિયા પહેલા ચલથાણ ક્રોસિંગ બ્રિજ પાસે ચપ્પુના ઘા મારીહત્યા કરવાના બનાવમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની ટીમે મોબાઇલ ટેકનોલોજી આધારે કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન અને તેના સાગરીતોને ઝડપી પાડ્યા હતા.અને લુંટના ઇરાદે હત્યા કરી હોવાનુ સામે આવ્યુ હતુ
મળતી માહીતી અનુસાર પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ ગાયત્રીનગર શીવસાંઇ દર્શન સોસાયટીમાં રહેતા પ્રમોદ રામલલીત ચૌધરી ઉ.વ 48 મુળ રહે બીહાર જેઓ તેમની પત્ની સાથે રહેતા હતા. અને શ્રી રામ ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગમાં મિલમાં લેબર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા.12 જુનના રોજ મોડી રાતે મીલમાંથી પોતાના ઘરે ચલથાણ જવા માટે મિલ માંથી પ્રમોદ ચૌધરી તેમની મોટરસાયકલ લઈ નીકળ્યા હતા જે દરમિયાન ચલથાણ રેલ્વે ક્રોસીંગ બ્રીજ પાસે આવતા અચાનક તેમની મોટરસાયકલ ખરાબ થઈ ગઈ હતી ત્યારે તેઓએ તેમના મીત્રને પણ ફોન કરીને બોલાવ્યો હતો.
તે સમયે કોઇ અજાણ્યા ઇસમો લુંટ કરવાના ઇરાદે તેમને છાતીના ભાગે ચપ્પુ મારી નિર્મમ હત્યા કરી હતી.ત્યારે આ અંગે સુરત જીલ્લા એલસીબીની ટીમે મળેલી અંગત બાતમી આધારે પ્રમોદ ચૌધરીની હત્યા કરનાર ઇસમો તાંતીથૈયાથી ચલથાણ જવાના રસ્તા ઉપર શીવાંજલી ઉધોગ નગરના ગેટ પાસે બેઠેલ છે.જે બાતમી ધારે એલસીબીની ટીમે સ્થળ પર જઇ તેઓને જડપી પાડી તેમની પુછ પરછ કરતા હત્યા કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં જી.આર.ડી તરીકે ફરજ બજાવતો યોગેસ મંગલ મેઘરાજ પાટીલ ઉ.વ ૨૯ હે તાતીથૈયા રેલ્વે આટકની બાજુમાં શીવ-રેસીડેન્સી મુળ મહારાષ્ટ્ર તેમજ તેના સાગરીત રોહીત ઉર્ફે બટકો કીશના નસકર(બંગાલી) ઉ.વ 21 રહે તાતીથૈયા નવો હળપતી વાસ મુળ રહે પચ્છીમ બંગાળ અને નરેશ રાજુ વાનખેડે ઉ.વ ૨૩ ૨હે તાતીથૈયા મુળ રહે મહારાષ્ટ બતેમજ એક કીશોર ને પોલીસે ઝડપી પાડી હત્યાનું કારણ જાણવા માટે પુછતા તેઓએ લુંટ કરવાના ઇરાદે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.ત્યા એલસીબીની ટીમે તમામ હત્યારાઓને કડોદરા પોલીસને સોંપ્યા હતા કડોદરા પોલીસે ત્રણેય આરોપીને પલસાણા નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરતા 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા


