By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કતારગામમાં આરોગ્ય અધિકારી ઉપર શાહી ફેંકવાના કેસમાં અટક કરાયેલા આરોપીઓ માંથી એક કોરોના પોઝિટિવ : બાકીના જામીન મુક્ત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કતારગામમાં આરોગ્ય અધિકારી ઉપર શાહી ફેંકવાના કેસમાં અટક કરાયેલા આરોપીઓ માંથી એક કોરોના પોઝિટિવ : બાકીના જામીન મુક્ત
GeneralSurat

કતારગામમાં આરોગ્ય અધિકારી ઉપર શાહી ફેંકવાના કેસમાં અટક કરાયેલા આરોપીઓ માંથી એક કોરોના પોઝિટિવ : બાકીના જામીન મુક્ત

HM News
Last updated: 05/11/2020 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

– આ ચકચારીત ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો : કોરોના રિપોર્ટ આવવામાં વિલંબ થતા 13 આરોપીઓને રાત્રે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરાયા

સુરત, તા. 5 : સફાઈ કામદારોની બદલીના મુદ્દે કતારગામ ઝોનના આરોગ્ય અધિકારી પર શાહી ફેંકવાના ચકચારીત પ્રકરણમાં ધરપકડ કરાયેલા ૧૪ આરોપીઓ પૈકી એકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે અન્ય 13 ને કોર્ટે જામીનમુક્ત કર્યા હતા.

કોર્ટ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સફાઈ કામદારોના પ્રશ્ને ગત તારીખ ૩/૧૧/૨૦૨૦ ના રોજ બપોરના સમયે કામદાર સંગઠનના નેજા હેઠળ એક ટોળુ કતારગામ ઝોન ઓફીસમાં રજુઆત કરવા ગયુ હતુ. જયાં વાતાવરણ ઉગ્ર થતા ટોળામાંથી જ કિરીટ વાઘેલાએ નાયબ આરોગ્ય અધિકારી કનુભાઈ શ્રોફ (ઉ.વ.૬૦, રહે.અડાજણ) ઉપર શાહી ફેંકી હતી.જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.આ ઘટનામાં કતારગામ પોલીસે સરકારી કર્મચારી પર હુમલો,ફરજમાં રુકાવટ તથા રાયોટીંગનો ગુનો નોંધી ૧૪ જણાની ધરપકડ કરી હતી.

બાદમાં પોલીસે કોવિડ ગાઈડલાઇન મુજબ તમામનો ટેસ્ટ કરાવતા એકનો કોરોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેથી તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યારે બાકીના ૧૩ આરોપીઓના કોરોના રિપોર્ટમાં મોડું થયું હોય તમામને રાત્રે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ના ઘરે રજૂ કરવામાં આવતા તમામે જામીનની માંગ કરી હતી.જ્યાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયાએ રજુઆત કરી હતી કે,આરોપીઓ લોકશાહી ઢબે માત્ર રજુઆત કરવા ગયા હતા,શારીરિક હુમલો કરીને ઇજા પહોંચાડવાનો આરોપીઓનો કોઈ ઈરાદો ન હતો.વડી અદાલતનાં સંજય ચંદ્રા વિરુદ્ધ સીબીઆઈ ના ચુકાદા ને ટાંકીને તેમણે ટ્રાઇલ ચાલતા લાંબો સમય નિકળી જાય તેમ હોય આરોપીઓને જામીન આપવા રજુઆત કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી હતી.

ગુજરાતના લાખો લોકોને થશે ફાયદો, BU વગરના બાંઘકામ કાયદેસર કરાશે
HM Exclusive : સુરતના 800 કરોડના નોટબંધી કૌભાંડમાં ભજિયાવાલા પિતા-પુત્રની મુશ્કેલી વધશે
સુરતમાં સગીર દ્વારા દારૂના વેચાણનો વીડિયો વાઈરલ, પોલીસે કહ્યું અમે તપાસ કરીએ છીએ
ઓવૈસીને સાબરમતી જેલ જતાં અટકાવાયા, રોડ- શો પણ થયો ફ્લોપ શો
ગુજરાતની ચૂંટણીમાં ઓવૈસી પોક મુકીને રડ્યા છતાં ગુજરાતના મુસ્લિમોએ AIMIMને નકર્યો : માત્ર 0.3% જેટલા વોટ મળ્યા
Share This Article
Facebook Email Print
Previous Article બાયડેન ૨૬૪ : ટ્રમ્પ ૨૧૪ જીતવા માટે જરૂર ૨૭૦ મત : ગજબનાકની કટોકટી : બાયડેન ૬ બેઠકો ઉપર ટ્રમ્પ ૫૧ બેઠકોમાં આગળ
Next Article કાળીચૌદશે મહાકાળી મંદિર રહેશે બંધ, 400 વર્ષ જૂની પરંપરા તૂટશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up