By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કપરાડામાં નવો નિયમ, ઠંડા પીણાનું વેંચાણ કરવા પર રૂપિયા 2100નો દંડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કપરાડામાં નવો નિયમ, ઠંડા પીણાનું વેંચાણ કરવા પર રૂપિયા 2100નો દંડ
GeneralSouth Gujarat

કપરાડામાં નવો નિયમ, ઠંડા પીણાનું વેંચાણ કરવા પર રૂપિયા 2100નો દંડ

HM News
Last updated: 01/07/2020 7:57 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 30 જૂન : ગ્રામ પંચાયત કપરાડાએ કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે અજીબ જાહેરનામું બહાર પાડ્યું છે.જ્યાં સુધી કોરોના વાઇરસનું સંક્રમણ ખતમ ન થાય ત્યાં સુધી ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈ ઠંડા પીણાનું વહેંચાણ કરતા પકડાશે તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગ્રામ પંચાયત દ્વારા 2100 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.

વલસાડ હાલ દેશમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે દરેક સ્થળે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.આ અંતર્ગત વલસાડ જિલ્લામાં આવેલી ગૃપ ગ્રામ પંચાયત કપરાડાના સરપંચ દ્વારા પંચાયતની હદમાં આવતા દુકાનદારોને એક નોટિસ મોકલવામાં આવી છે.
ગૃપ ગ્રામ પંચાયત કપરાડાએ કોરોનાના અનલોક-1માં નવુ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. કોઈપણ આરોગ્ય કે અન્ય કોઈ પણ સ્થળે એવો કોઈ ઉલ્લેખ નથી કે કોરોના ઠંડા પીણાથી જ થાય છે કે,ચિકન મટન ખાવાથી થાય છે.તેમ છતાં ગ્રામ પંચાયત કપરાડા દ્વારા દરેક દુકાનદારોને નોટિસ આપીને ઠંડા પીણાંનું વેચાણ બંધ કરી દેવા તેમજ મચ્છી,ચિકન અને મટનનું વેચાણ પણ બંધ કરવાનો નોટિસમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો કોઈ પણ દુકાનદાર ઉપરોક્ત વસ્તુનું વેચાણ કરતા પકડાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા 2100 રૂપિયા દંડ લેવામાં આવશે,તેમજ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

આ નોટિસ દરેક દુકાનદારને આપવામાં આવી છે.આ સમગ્ર બાબતે ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક સાધતા તેમને કેમેરા સમક્ષ આવવાની ના પાડી હતી.બીજી તરફ સરપંતના જણાવ્યું કે,કપરાડામાં મોટા ભાગના લોકો વાપી નોકરી અને મજૂરી કામે જાય છે અને 4 કલાકે તેઓ પરત કપરાડા સેન્ટર પર પહોંચે છે.દરેક વાહનો અહીં જ ઉભા રહે છે.જો કોઈ વાપીથી સંક્રમિત થઈને આવે તો કપરાડામાં કેસ વધે એમ છે,તો તેની તકેદારી રાખતા સાંજે 4 કલાક બાદ માર્કેટ બંધ કરી દેવા નોટિસ આપવામાં આવી છે.નોંધનીય છે કે, તબીબો અને સંશોધકોએ જણાવ્યું કે,કોરોનાએ ઠંડક અને ભેજવાલી જગ્યામાં વધુ ફેલાય છે.નહીં કે ઠંડા પીણા પીવાથી ફેલાય છે,પરંતુ ગૃપ ગ્રામ પંચાયત કપરાડા દ્વારા તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરીની જેમ દરેક દુકાનદારોને ઠંડા પીણા પર પણ રોક લગાવી દીધી છે.

સુરતમાં 14 દિવસના નવજાત બાળકને કોરોના ભરખી ગયો, જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર
ઓવૈસીને પાછા લાગ્યા મરચાં,કહ્યું કે જ્યાં શાહ-યોગી ગયાં ત્યાં ભાજપને પરાજય મળ્યો
“કેશવ પરાસરણ” એટલે રામલલાને કોર્ટમાં અરજદાર બનાવનાર વકીલ : વાંચો કોંગ્રસ ટુ હિંદુત્વ સ્ટેન્ડના મહારથી
દેશમાં કોરોનાના નવા 18,930 કેસ અને વધુ 35 લોકોનાં મોત
જીભ લપસવા દેવાની નથી, વિકાસના મુદ્દાને છોડવાનો નથી : વડાપ્રધાન મોદી
Share This Article
Facebook Email Print
Previous Article વાપીની HDFC બેન્કનો કર્મી સંક્રમિત બનતાં કામકાજ બંધ
Next Article વાપીના ઉદ્યોગપતિ સહિત વધુ 4 કોરોના સંક્રમિત, કુલ 160
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up