By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કમળને કચડતું ઝાડુ : ”પાટીલગઢ’ માં આપના ગાબડાં : સુરત ભાજપના 300 સક્રિય કાર્યકરો આપમાં જોડાયાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કમળને કચડતું ઝાડુ : ”પાટીલગઢ’ માં આપના ગાબડાં : સુરત ભાજપના 300 સક્રિય કાર્યકરો આપમાં જોડાયાં
GeneralPoliticsSurat

કમળને કચડતું ઝાડુ : ”પાટીલગઢ’ માં આપના ગાબડાં : સુરત ભાજપના 300 સક્રિય કાર્યકરો આપમાં જોડાયાં

HM News
Last updated: 09/06/2021 2:53 AM
HM News
4 years ago
Share
SHARE

– કાર્યકરો ભાજપનો સાથ છોડીને આપમાં જોડાતા નેતાઓ માટે ચિંતાનો વિષય
– શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે, કાર્યકરોનો સંપર્ક કરીને કારણ જાણી નિરાકરણ લાવશું

સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા મેળવી વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી હવે ભાજપમાં ગાબડા પાડી રહી છે.સુરતમાં છેલ્લા થોડા જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકરો કમળને કચડીને ઝાડુ પકડતાં જોવા મળી રહ્યાં છે.બે દિવસમાં 300 જેટલા સક્રિય કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતના હોવા છતાં તેમના નાક નીચેથી જ કાર્યકરો કમળનો સાથ છોડીને આપમાં જોડાઈ રહ્યાં છે.દિવસેને દિવસે મજબૂત થતી આપના નેતાઓ કહી રહ્યા છીએ કે અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપના કાર્યકરો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને લાઈન જોડાવાની યથાવત છે.જેનું અમે સ્વાગત કરીએ છીએ.ત્યારે શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે, કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અમે તેમના કારણો જાણીને નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.

સુરતમાં આમ આદમી પાર્ટી વધુને વધુ સક્રિય થઇ રહી છે.લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓને વાચા આપીને સુરતની જનતામાં પોતાને કામ કરવાની શૈલીને લઈને વિશ્વાસ જીતવાનો શરૂ કરાયો છે.ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે તે ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સુરત શહેર અને જિલ્લામાં લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ થઈ રહી છે.તેને કારણે હવે પ્રજા પણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ મૂકી રહી છે.એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી રહ્યા છે.યુવા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં ઘરમાં પાર્ટી ડંકો વગાડી રહી છે.આગામી દિવસોમાં ભાજપના અન્ય નેતા અને હોદ્દેદારો પણ આવશે એવી અમને આશા છે.

ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિપુલ સાખીયા જણાવ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રહ્યો છું.પરંતુ મને એવું લાગે છે કે,ભારતીય જનતા પાર્ટીમાં પ્રામાણિક અને પુરુષાર્થ કરતા કાર્યકર્તાઓને કોઈ સ્થાન નથી.છેલ્લા ઘણા સમયથી અમારા જેવા કાર્યકર્તાઓને હાસ્યમાં ધકેલવામાં આવે છે જેનો અમને દુઃખ છે.જેથી સારા વિકલ્પ એવા આપમાં અમે અમારા ટેકેદારો સાથે જોડાયા છીએ.

સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું કે, ભાજપના કેટલાક કાર્યકર્તાઓ આપ પાર્ટીમાં જોડાયા હોવાની વાત અમને મળી છે.અમે એમનો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે,કયા કારણસર તેઓ અન્ય પાર્ટીમાં ગયા છે.તેઓ કયા કારણસર ગયા છે તે કહેવું અત્યારે હાલના તબક્કે મુશ્કેલ છે.થોડા ઘણા કાર્યકર્તા ગયા પણ હશે પરંતુ અમે તેમનો સંપર્ક કરીને તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કરીશું અને પાર્ટી હંમેશા પોતાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ચિંતા કરતી હોય છે.કારણ કે તેના થકી જ પક્ષ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓની પાર્ટી છે.માટે અમે કોઈ સૌ સાથે મળીને જ કામ કરીએ છીએ.

શેર બજાર : સેન્સેક્સમાં 1,050 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 17,301 પર
ઓવૈસીને પાછી આવી પેટમાં ચૂક : દેશમાં ફેલાયેલી નફરત હિન્દુત્વની દેન છે : ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર
સાંડેસરા કેસ / સ્ટર્લિંગ બાયોકેમ બેંક કૌભાંડ મામલે EDએ અહેમદ પટેલની ત્રીજી વખત કરી પૂછપરછ
રાજકોટમાં CAનો અભ્યાસ કરતી અને 6 મહિનાથી એક રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત,ઘરમાંથી યુરિન ભરેલા ટબ મળ્યા
ED એ આમ આદમી પાર્ટીને નોટિસ મોકલી, બનાવટી કંપનીઓ પાસેથી ડોનેશન લેવાના કિસ્સામાં કાર્યવાહી
Share This Article
Facebook Email Print
Previous Article વિવિધ બેન્કોએ ૮૯,૦૦૦ કરોડનાં ૨૨ ખાતાં પ્રસ્તાવિત બેડ બેન્કને ટ્રાન્સફર કર્યાં
Next Article ક્લાઉડ સર્વિસ ખોટકાતાં વિશ્વભરમાં ન્યૂઝ અને સરકારી વેબસાઇટો ખોરવાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up