By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કમળો, ટાઈફોઈડનો ઉપદ્રવ, 4 દિવસમાં 66 કેસ નોંધાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કમળો, ટાઈફોઈડનો ઉપદ્રવ, 4 દિવસમાં 66 કેસ નોંધાયા
AhmedabadGeneral

કમળો, ટાઈફોઈડનો ઉપદ્રવ, 4 દિવસમાં 66 કેસ નોંધાયા

HM News
Last updated: 09/06/2022 5:35 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ ​​​​​​​: શહેરમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળાનો હાહાકાર યથાવત રહેવા પામ્યો છે.જૂન માસના 4 દિવસના ટૂંકા ગાળામાં જ કમળાના 32 અને ટાઈફોઈડના 34 કેસ મળી 66 કેસ સત્તાવાર રીતે નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.ઉપરાંત ઝાડા ઉલ્ટીના પણ 113 જેટલા કેસો સામે આવ્યા છે.જૂનમાં ડેન્ગ્યૂના પણ 4 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.અમદાવાદમાં ગરમીની સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મુકી છે.જૂન માસના માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં જ કમળા અને ટાઈફોઈડના કેસોએ હાહાકાર મચાવ્યો છે.માત્ર 4 દિવસમાં જ શહેરમાં કમળાના 32 કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.જ્યારે ટાઈફોઈડના પણ 34 કેસો નોંધાયા છે.2021માં સમગ્ર જૂન માસમાં કમળાના 100 કેસ નોંધાયા હતા,જેની સામે આ વખતે માત્ર 4 જ દિવસમાં કમળાના 32 કેસો સામે આવ્યા છે.જ્યારે ટાઈફોઈડના પણ 2021માં જૂન માસમાં 81 હતા,જેની સામે આ વખતે 4 દિવસમાં જ 34 જેટલા કેસ સામે આવી ચુક્યા છે.

જૂન માસના પ્રથમ ચાર દિવસમાં જ ઝાડા ઉલ્ટીના 113 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.જ્યારે 2022માં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 2380 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે કમળાના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 672 કેસ અને ટાઈફોઈડના 687 કેસ નોંધાયા છે.કોલેરાના આ વર્ષે 7 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.પાણીજન્ય રોગચાળાએ માઝા મુકતા કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પાણીના સેમ્પલ લઈ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.જેમાં ચાલુ વર્ષે 149 જેટલા સેમ્પલ અનફીટ મળ્યા છે.ઉપરાંત ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં ગરમીના પ્રકોપના લીધે પાણીજન્ય રોગચાળો વધ્યો છે,પરંતુ મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં હોવાનું જાણવા મળે છે.જૂન માસના 4 દિવસના સમયગાળામાં સાદા મેલેરીયના 16 જેટલા કેસ નોંધાયા છે.જ્યારે ડેન્ગ્યુના 4 કેસ અને ચીકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.ચાલુ વર્ષે સાદા મેલેરીયાના 196 કેસ,ઝેરી મેલેરીયાના 9 કેસ,ડેન્ગ્યુના 61 કેસ અને ચીકનગુનિયાના 119 કેસ નોંધાઈ ચુક્યા છે.મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશન દ્વારા લોહીના નમુના લઈ તપાસ કરવામાં આવી રહી છે.

મોંઘવારી પર અંકુશ મેળવવા કેન્દ્રીય બેન્ક પર ભરોસો કરવાની સલાહ કેમ આપી રહ્યા છે રઘુરામ રાજન?
વિલફુલ ડિફોલ્ટર્સની લેણી રકમ 25 ટકા વધીને રૂ.1.5 લાખ કરોડ
EXCLUSIVE : ભારતના ગુમ થયેલા બાળકો અપહરણ,વેશ્યાવૃત્તિ,ચાઈલ્ડ પોર્નમાં અથવા માફિયા સંચાલિત ભીખ માંગતી ગેંગમાં : દરેક માતા પિતા ખાસ વાંચે
સુદર્શન ટીવીના UPSC જિહાદ કાર્યક્રમ ઉપર સુપ્રીમનો પ્રતિબંધ
JNU યુનિવર્સિટીની દિવાલો પર હિન્દુ સેનાએ લગાવ્યા ભગવા પોસ્ટર : કેમ્પસમાં માહોલ ગરમાયો
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત સરકારના તજજ્ઞ વર્ગ-1ના ડોક્ટરોને 43 હજાર સુધીના પગાર વધારાનો નિર્ણય
Next Article ચાંદખેડા, રાણીપ અને સાબરમતીમાં બે દિવસ પાણીનો પુરવઠો અટવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up