અમદાવાદ: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 પસાર કરવામાં આવ્યો છે.ત્યારે તાજેતરમાં રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોવાના સમાચાર સામે આવ્યા બાદ હવે અમદાવાદના જિલ્લામાં હંસપુરા ભૂમાફિયાઓએ કરોડોની જમીન પચાવી પાડી હોવાનો અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો.
ભૂમાફિયાઓ સામે લાલ આંખ, લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત રાજકોટ જિલ્લામાં નોંધાઇ પ્રથમ ફરિયાદ
આજે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી હતી.અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા હતા.અલ્પેશ ઠાકોરે કલ્પેશ પટેલ ( ગણેશ મેરિડિયન ), ઉદય ભટ્ટ ( ગેલેક્સી ગ્રુપ ), અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતોના નામ જાહેર કર્યા હતા.
જમીનમાંથી નિકળશે સોનાના બિસ્કિટના નામે લાખોની ઠગાઇ, મુર્ખામી પર હસવું જરૂર આવશે!
અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની કિંમતની જમીન પચાવી પાડી છે,જ્યારે ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી છે.તો બીજી તરફ ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કર્યો હતો.
ગુજરાતમાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાવનગરમાં એક સાથે 3 ફરિયાદ દાખલ
ભૂમાફિયાઓએ ખોટા દસ્તાવેજો,બાનાખતો ઉભા કરી છેતરપિંડીનો પ્રયાસ કરે છે.જે લોકોની સીધી સંડોવણી છે જે લોકોએ મોટા મોટા એમ્પાયર બનાવ્યા છે.આ માત્ર ટોકન બનાવો છે.
અમૃતભાઇ નામના ખેડૂતે જણાવ્યું હતું કે મારી હંસાપુર ગામમાં જમીન આવી છે,જેના બે પેઢીનામા બનાવવામાં આવ્યા છે.એક વ્યક્તિના બે પિતાના નામના પેઢીનામા બનાવવામાં આવ્યા છે.
ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી પાડ્યાનો અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે.ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ કર્યો છે તો ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો પણ આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત તેની પર લાગેલા ભૂ-માફિયાના આરોપ સાબિત કરી બતાવવા પણ વિરોધીઓને પડકાર ફેંક્યો છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ખેડૂતોના ભોળપણ અને નિરક્ષતાનો લાભ ઉઠાવવામાં આવ્યો છે.સાથે સાથે જણાવ્યું કે ખાતામાં આવેલું વળતર પણ ભૂ-માફિયાઓ ચાઉં કરી ગયા છે.
– ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલ
– ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ અને ભાવિક દેસાઈ
– ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલે ખેડૂતોની 250 કરોડની જમીન પચાવી
– ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી
– ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતોની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ


